SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ જ શાશ્વત શાંતિ કહેવાય છે, માટે તું પણ તારા પોતાના હૃદયસ્થ પરમતત્ત્વને આનંદઘનસ્વરૂપ તરીકે વિચારીને તારા મન દ્વારા કલ્પિત મોહ કે અજ્ઞાનનું પ્રક્ષાલન કરી આત્મજ્ઞાની તથા મુક્ત થઈ કૃતકૃત્ય થા. આ પ્રમાણે શિષ્યને આત્મવિચારણા દ્વારા મનુષ્યજન્મનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરી જીવનની સાર્થકતા કે કૃતકૃત્યતા અનુભવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. समाधिना साधु (છંદ–ઉપજાતિ) समाधिना साधु विनिश्चलात्मना पश्यात्मतत्त्वं स्फुटबोधचक्षुषा । निःसंशयं सम्यगवेक्षितश्चेच्छ्रुतः पदार्थो न पुनर्विकल्पते ॥४७४॥ विनिश्चलात्मना स्फुटबोधचक्षुषा आत्मतत्त्वम् पश्य श्रुतः पदार्थः निःसंशयम् सम्यक् अवेक्षितः चेत् पुनः न विकल्पते = સમાધિથી સારી રીતે ચિત્તને સ્થિર કરી સમ્યક્ જ્ઞાનરૂપી ચક્ષુથી આત્મતત્ત્વને જોઈ લે– (જાણી લે) (કા૨ણ કે) શ્રવણ કરાયેલ વસ્તુ = · સંશયરહિત થઈ જો સા૨ી ૨ીતે જાણી હોય તો તેમાં ફરી સંદેહ કે વિકલ્પ ઊઠતો નથી. = = = ૭૩૬ = = = = = હે શિષ્ય! સમાધિ દ્વારા તું સારી રીતે તારા ચિત્તને સ્થિર કરી સમ્યક્ જ્ઞાનરૂપી ચક્ષુથી આત્મતત્ત્વને જાણી લે, અર્થાત્ અપરોક્ષ રીતે આત્મા સાથે અભેદાનુભૂતિ કરી લે કારણ કે શ્રવણ કરાયેલી વસ્તુ સંશયરહિત થઈ
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy