________________
પ૭
આકારવાળી દેખાય છે. માટીને કોઈ જ વિશેષ આકાર નથી છતાં માટીમાં ઘડો વગેરે દેખાવાનું કારણ અજ્ઞાન અને ભ્રાંતિથી થયેલું આરોપણ માત્ર છે, તેમ બ્રહ્મમાં જગતના સમસ્ત નામ અને આકાર ભાસવાનું કારણ અધિષ્ઠાન બ્રહ્મનું અજ્ઞાનમાત્ર છે. જો અજ્ઞાન જગતરૂપી ભ્રાંતિનું કારણ હોય તો તેની નિવૃત્તિ વિચાર કરવાથી જ થાય. ખોટા સર્પનો ભય દૂર કરવો હોય તો દોરીનો વિચાર કરવો પડે. તેમ મિથ્થા સંસારનો ભય દૂર કરવો હોય તો સંસારના અધિષ્ઠાન આત્માનો વિચાર કરવો જોઈએ. દોરીનો વિચાર કરતાં સર્પનો ભય દૂર થયો તેમ આત્માના વિચારથી સંસારનો ભય જતો રહે છે. અધિષ્ઠાનના વિચારથી જ ભ્રાંતિજનિત ભય દૂર કરી શકાય છે. માટે શંકરાચાર્યજી કહે છે કે ભ્રાંતિથી પેદા થયેલા સર્પના ભય અને દુઃખનો નાશ કરનારી, વાસ્તવિક દોરીની ધારણા છે. અધિષ્ઠાનની ધારણા વિચારથી જ સિદ્ધ થાય છે, અન્ય કોઈ ક્રિયાથી થઈ શકતી નથી.
| (છંદ-અનુષ્ટ્રપ) अर्थस्य निश्चयो दृष्टो विचारेण हितोक्तितः ।
न स्नानेन न दानेन प्राणायामशतेन वा ।।१३।। હિત વિત્તતઃ હિતકારક વચનોનો દૃષ્ટ: = થયેલો જોવામાં વિવારે = વિચાર કરવાથી જ
આવ્યો છે મર્થસ્ય = વસ્તુતત્ત્વનો સ્નાન ન = સ્નાન કરવાથી નહીં
(આત્મારૂપ વસ્તુનો) ઢાનેન ન = દાન કરવાથી નહીં નિશ્ચય: = નિશ્ચય
વા = કે પ્રાણાયામશતેન સેંકડો પ્રાણાયમ
(કરવાથી નહીં)
' અજ્ઞાનની નિવૃત્તિ કે ખોટા તાદાભ્યનો નાશ, ક્રિયા કરવાથી થતો નથી પરંતુ માત્ર જ્ઞાનથી જ થાય છે. માટે શંકરાચાર્યજી કહે છે કે ચિંતનમનનરૂપી વિચારથી જ વસ્તુતત્ત્વનો અર્થાત્ આત્મતત્ત્વનો નિશ્ચય થાય છે. તમારી પાસે એક કિંમતી રત્નજડિત વીંટી છે. તમે દરિયાકિનારે ફરવા ગયા,