________________
૬૯૧
સામઃ પૂનાને = સજજનો વડે પૂજાવાથી (અને) ટુર્નીઃ પીચમને મ = દુર્જનો વડે પીડાવાથી પણ થય ગમન = જેનો આમાં (આવી પરિસ્થિતિમાં) સમાવઃ ભવેત્ = સમભાવ (ટકી) રહે સઃ નવનુp: ૩વ્યd = તે જીવન્મુક્ત કહેવાય છે.
સાધુસજજનો વડે પૂજાવાથી કે દુર્જનો વડે પીડાવાથી પણ સ્તુતિ અને નિંદા જેવી પરિસ્થિતિમાં જેનો સમભાવ ટકી રહે છે તેવો પુરુષ જીવન્મુક્ત કહેવાય છે.
- પ્રતિકૂળ સંજોગોમાં જે દુઃખી ન થાય અને અનુકૂળ સંજોગોમાં જે હર્ષ ના અનુભવે પરંતુ બન્ને વિપરીત સંજોગોમાં જેના આત્મભાવમાં કોઈ ફરક ન પડે અર્થાત જે પોતાની બ્રાહ્મીસ્થિતિથી ચૂત ન થાય અને અવિચળરૂપે પોતાની સ્થિતિમાં ટકી રહે, તે સ્થિતપ્રજ્ઞાવાળો સર્વસ્થળે સર્વલોકમાં સન્માનને પાત્ર હોય છે. માટે જ તેવા માનનીય જીવન્મુક્તની મુક્ત કંઠે સ્તુતિ કરતા ભગવાન શ્રીકૃષ્ણને પણ કહેવું પડ્યું કે “જે અનુકૂળ, શુભ કે સન્માન જેવા પ્રસંગોની પ્રાપ્તિમાં હર્ષ અનુભવતો નથી અને તેવા સંજોગોની અપેક્ષા પણ રાખતો નથી તથા અશુભ પ્રસંગો, અનિષ્ટ, પ્રતિકૂળ સંજોગો અગર નિંદા કે પીડા જેવી પરિસ્થિતિનો ઠેષ પણ કરતો નથી અને તેવી સૌ પરિસ્થિતિમાં શોક પણ અનુભવતો નથી, તેવો શુભ કે અશુભનો, ઈષ્ટ કે અનિષ્ટનો ત્યાગ કરનારો ભક્ત મને પ્રિય છે, મારો વહાલો છે.”
“यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति । શુભાશુમપરિત્યા મરિમાન્યઃ સ મે પ્રિયઃ II” [ભ.ગીતા-૧૨/૧૭]
“તુલ્યનિવાસ્તુતિની ... મત્તિમાને શિયો નરઃા”
“નિંદા અને સ્તુતિને સમભાવે જોનારો મનનશીલ ભક્તપુરુષ મને પ્રિય છે.” આમ, જે ભક્ત પ્રભુને પ્યારો છે, સમત્વદષ્ટિમાં સૌથી ન્યારો છે, તેવો જ્ઞાનીભક્ત જીવન્મુક્તોમાં સૌથી સવાયો કહેવાયો છે.
જીવન્મુક્તને દુર્જનો દડે કે સજ્જનો પૂજે, તેને માટે પુષ્પનો