SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૦ જીવન્મુક્ત સંદર્ભે તેવું શિષ્ટ જ આલેખાવું જોઈએ. માટે જ જીવન્મુક્તની સ્તુતિ અર્થે જણાવાયું છે કે જીવન્મુક્ત પુરુષ “” જેવી જડવૃત્તિઓનો દષ્ટા નથી, પરંતુ સમગ્ર જડ જગતને ચૈતન્યમય જાણી ચૈતન્યરૂપે જ તેનું દર્શન કરે છે. “जडं पश्यति नो यस्तु जगत्पश्यति चिन्मयम् ।" प्रज्ञया (છંદ-અનુષ્ટ્રપ) न प्रत्यग्ब्रह्मणोर्भेदं कदापि ब्रह्मसर्गयोः । प्रज्ञया यो विजानाति स जीवन्मुक्त इष्यते ॥४४०॥ થઃ પ્રત્યવહાળો: = જે પોતાના આત્મામાં અને બ્રહ્મમાં ब्रह्मसर्गयोः = (તેમજ) બ્રહ્મમાં અને સંસારમાં . = વિવેકી બુદ્ધિથી कदा अपि = ક્યારેય પણ ન વિવાતિ મેહમ્ = ભેદ સમજતો નથી. સઃ નવનુo: ફતે = તે જીવન્મુક્ત કહેવાય છે. જે પોતાના જીવાત્મા અને બ્રહ્મમાં તથા બ્રહ્મ અને સંસારમાં વિવેકબુદ્ધિ દ્વારા કોઈ પણ જાતનો ભેદ જોતો કે જાણતો નથી, તે જીવન્મુક્ત કહેવાય છે. જીવન્મુક્તિને જીવ, જગત અને બ્રહ્મ જેવા ભેદ જણાતા નથી કારણ કે તે ઉપાધિને દૂર કરી સર્વમાં નિરુપાદિક બ્રહ્મરૂપી અધિષ્ઠાનનું જ દર્શન કરે છે. માટે ઉપાધિભેદને સત્ય જાણતો નથી અને તેવા કાલ્પનિક ભેદમાં પોતે આસક્ત પણ થતો નથી. માત્ર અજ્ઞાની જ ભેદનું દર્શન કરી જાતે જ મૃત્યુના મુખમાં પ્રવેશે છે. પરંતુ જીવન્મુક્ત ઉપાધિ અને તાદાભ્યબંધનથી છૂટેલો હોવાને કારણે જ જીવન્મુક્ત કહેવાય છે. (છંદ-અનુષ્ટ્રપ) साधुभिः पूज्यमानेऽस्मिन्पीड्यमानेऽपि दुर्जनैः । समभावो भवेद्यस्य स जीवन्मुक्त उच्यते ॥४४१॥
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy