________________
૬૭૬
વાહાત્મનઃ = પરબ્રહ્મ અને જીવાત્માનું
ધિતયોઃ = સંશોધન (કરી) વિમાવાવાદિની – ઐક્યભાવને ગ્રહણ કરવાવાળી નિર્વિવ = નિર્વિકલ્પ અને વિન્માત્રા વૃત્તિઃ = માત્ર ચૈતન્યમય વૃત્તિ प्रज्ञा इति
= “પ્રજ્ઞા” એમ कथ्यते = કહેવાય છે. યસ્ય સા = જેની તેવી (પ્રજ્ઞા) सर्वदा
સદાકાળ (સમ્યફ રીતે સ્થિત) भवेत् = થયેલી હોય સ: સ્થિતપ્રજ્ઞ = તે સ્થિતપ્રજ્ઞા उच्यते = કહેવાય છે.
સ્થિતપ્રજ્ઞ દર્શન હવેના બે શ્લોકમાં સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા આપવામાં આવે છે. પરબ્રહ્મમાં ચિત્તનો લય કરનારો, નિર્વિકાર થઈ ક્રિયામુક્ત થનારો, સદા આનંદનો અનુભવ કરનારો યોગી જ્યારે જીવબ્રહ્મના ઐક્યભાવને પ્રાપ્ત કરનારી નિર્વિકલ્પ તથા ચૈતન્યમય બનેલી, પ્રજ્ઞા નામની વૃત્તિને પરબ્રહ્મમાં સ્થિત કરે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
આવા સ્થિતપ્રજ્ઞની પ્રજ્ઞા કે બુદ્ધિ અચળ થયેલી હોવાથી પ્રતિકૂળ કે દુઃખના સંજોગોમાં તેનું ચિત્ત ન તો પ્રતિક્રિયા કરે છે કે દુઃખ અનુભવી ઊહાપોહ કરે છે અગર અનુકૂળ સંજોગોમાં જ્યારે સુખ અનુભવાતુ હોય તેવા અનુકૂળ સંજોગોની અપેક્ષા કે આકાંક્ષા રાખતો નથી અને તેવા સુખદ પ્રસંગોનું પુનરાવર્તન ઇચ્છતો પણ નથી. તદુપરાંત, તેવા યોગીએ બ્રહ્મમાં ચિત્તનો લય કર્યો હોવાથી તેની ચિત્તમાં રહેલી તમામ કામનાઓનો ત્યાગ થઈ જાય છે અને ત્યારબાદ કામના કે વાસનારહિત થયેલો સ્થિતપ્રજ્ઞ પોતે