SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, તે નિરંતર બાહ્મીસ્થિતિમાં રહેવાથી બાહ્ય જગતના વિષયોની આસક્તિથી તેની બુદ્ધિ મુક્ત બની છે. તેથી તે નિદ્રાળુવત કે બાળક જેમ વર્તતો હોવાથી અન્યોએ આપેલા ફળભોગનો જ ઉપભોગ કરતો હોય છે. તથા ક્વચિત્ વિષયબુદ્ધિવાળો થઈ, વિષયોમાં પ્રવૃત્ત થાય છે, છતાં સ્વપ્નસૃષ્ટિના વિષયોની જેમ જ જાગ્રત જગતના વિષયોને જોતો રહે છે અર્થાત્ સ્વપ્નસૃષ્ટિ સાથે જેવું વર્તન હતું તેવું વર્તન જાગ્રતસૃષ્ટિ સાથે તે કરે છે. તાત્પર્યમાં, જેમ સ્વપ્નસૃષ્ટિના પદાર્થોનું મિથ્યાત્વ જાણી તે પ્રત્યે ઉપેક્ષા કે ઉદાસીનવૃત્તિ સેવે છે તેવી જ ઉદાસીનતા તેને જાગ્રતના જગત કે પદાર્થો સાથે હોય છે. માટે તે વાસ્તવમાં કંઈ પણ ભોગવતો ન હોવા છતાં સર્વ કાંઈ ભોગવે છે, કંઈ ન જોતો હોવા છતાં સર્વ કાંઈ જુએ છે. માટે જ તેવા જ્ઞાનીની સ્તુતિ અર્થે અત્રે જણાવ્યું છે કે ‘અનન્તપુષ્પન્ન મુદ્ થન્યઃ સ માન્યો મુવિ ।” ‘અનંત પુણ્યોના ફળને ભોગવનારો તે જ્ઞાની આ પૃથ્વી ઉપર ધન્ય છે, ભાગ્યશાળી છે અને માનને પાત્ર માનનીય છે, પૂજનીય છે.'' ન (છંદ-અનુષ્ટુપ) स्थितप्रज्ञो यतिरयं यः सदानन्दमश्नुते । ब्रह्मण्येव विलीनात्मा निर्विकारो विनिष्क्रियः ॥४२७॥ યઃ કૃતિઃ - જે(યત્નશીલ) યોગી વાળિ વ = પરબ્રહ્મમાં જ ૬૭૫ विलीनात्मा ચિત્તનો લય કરીને निर्विकारः વિકા૨૨હિત બનીને विनिष्क्रियः ક્રિયામુક્ત છે. (તથા) – = = 1 सदा आनन्दम् अश्नुते अयम् સ્થિતપ્રજ્ઞઃ (છંદ-અનુષ્ટુપ) = = = = = હંમેશા આનંદને પ્રાપ્ત કરે છે. આવો (હોય તે) સ્થિતપ્રજ્ઞ છે. शोधितयोरेकभावावगाहिनी । ब्रह्मात्मनोः निर्विकल्पा च चिन्मात्रा वृत्तिः प्रज्ञेति कथ्यते । सा सर्वदा भवेद्यस्य स्थितप्रज्ञः स उच्यते ॥ ४२८ ॥
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy