________________
પર
આ શ્લોકમાં કર્મની મર્યાદાનો સ્પષ્ટ ખ્યાલ આપવામાં આવ્યો છે. કર્મથી ચિત્તની શુદ્ધિ અવશ્ય થઈ શકે છે પણ આત્મવસ્તુની પ્રાપ્તિ કર્મ દ્વારા થઈ શકે તેમ નથી. આત્મા સૌને પ્રાપ્ત જ છે માટે આત્માની પ્રાપ્તિ “પ્રાપ્તની જ પ્રાપ્તિ' છે. જે અપ્રાપ્ય હોય તેની પ્રાપ્તિ કર્મ દ્વારા થઈ શકે. પણ જે પ્રાપ્ત જ છે, તેની પ્રાપ્તિ કર્મ દ્વારા થઈ શકે તેમ નથી. આત્મા સૌને પ્રાપ્ત હોવા છતાં માત્ર અજ્ઞાનને લીધે જ જણાતો નથી, માટે અજ્ઞાનની નિવૃત્તિને જ આત્માની પ્રાપ્તિ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કહેવાય છે. આત્માને માત્ર જાણવાની જ જરૂર હોવાથી અત્રે કહેવાયું કે આત્મવસ્તુની પ્રાપ્તિ આત્મવિચારથી થાય છે.
વિન્થિર્મોરિમિઃ કરોડો કર્મો કરવાથી પણ આત્મજ્ઞાન થતું નથી. ખૂબ પુણ્યકર્મો કરીએ, ખૂબ રૂપિયા ખર્ચીને વિષ્ણુયાગ જેવા યજ્ઞો કરીએ કે ચારે ધામની યાત્રા કરીએ પણ તેનાથી મોક્ષ કે મુક્તિ મળી શકે તેમ નથી. એવું પણ નથી કે પૂજા-પાઠ, દેવદર્શન, યાત્રા વગેરે નકામાં છે. આ બધાં કર્મોની ઉપયોગિતા છે અને મર્યાદા પણ છે. ચિત્તશુદ્ધિ માટે આ બધાં કર્મો ઉપયોગી છે પરંતુ યાત્રા કરવાથી પૂજા કરવાથી, પુણ્યકર્મો કરવાથી, દાન કરવાથી કે નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષ મળી શકે નહીં. જો મુક્તિ મેળવવી હોય તો તે માટે આત્મવિચાર જ કરવો પડે, વસ્તુસિદ્ધિર્વિવાળ ! હું કોણ છું? તેની શોધ કર્યા વિના મુક્તિના દરવાજા ખૂલે તેમ નથી. આપણે મુક્ત છીએ પરંતુ મુક્ત છું એવું આત્મવિચાર વિના જાણી શકાય તેમ નથી. પ્રથમ કર્મની ઉપયોગીતાનો વિચાર કરીએ. “કર્મ એ એક પ્રકારની હોડી છે. જેમ હોડી એક કિનારેથી બીજા કિનારા સુધી પહોંચાડી શકે તેમ આ કર્મ રૂપી હોડી ચિત્તશુદ્ધિરૂપી કિનારા સુધી પહોંચાડી શકે તેમ છે. જો તે કિનારાથી આગળ વધીને પોતાના ચૈતન્ય સ્વરૂપને જાણવું હોય તો હવે તે હોડીને પડતી મુકવી જોઈએ. ચિત્તશુદ્ધિરૂપી કિનારો જ કર્મની અંતિમ સરહદ છે, કર્મની આખરી મર્યાદા છે. ગમે તેવું પવિત્રમાં પવિત્ર કર્મ હોય છતાં તે આત્મસાક્ષાત્કાર સુધી પહોંચાડી શકે તેમ નથી.