SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જવાનું મન બધાને થાય છે. આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે આપણે કોઈ હવાખાવાના સ્થળે જઈને, થોડા દિવસ વિશ્રામ કરવાનું નક્કી કરીએ છીએ. હવાખાવાના સ્થળે ગયા પછી થોડા જ દિવસમાં મન પુનઃ ફરિયાદ કરે છે કે આ નદી-પહાડના દશ્યો જોઈને હવે કંટાળો આવે છે, આનાથી છૂટીને પાછા ઘરે જવામાં મઝા છે. આ આપણા જીવનનો અનુભવ છે કે જયારે આપણે કંટાળીને ક્યાંક જઈએ છીએ ત્યારે થોડા જ દિવસમાં પાછા ફરવાનું મન થઈ જાય છે. માટે અત્રે શંકરાચાર્યજી સ્પષ્ટતા કરે છે કે જે આત્મચિંતનનો અધિકારી છે તેણે જ સર્વ કર્મોનો ત્યાગ કરવો જોઈએ, બીજાએ નહીં. આત્મચિંતન તો જ થઈ શકે જો આપણી પાસે આત્માઅનાત્માના વિવેકનું જ્ઞાન હોય. આત્મચિંતન કંઈ અર્થહીન દિવાસ્વપ્ન નથી, શેખચલ્લીનો સ્વપ્નવિહાર નથી કે પરિસ્થિતિથી હારેલા પામરની પરિકલ્પના નથી. આત્મચિંતન એટલે આપણા અભય, અજર, અમર આત્મસ્વરૂપનો વિચા૨ અને આવો વિચાર તે જ કરી શકે જેણે પર્યાપ્ત શ્રવણ કર્યું હોય. માટે અત્રે સમજવાનું કે જેની આત્મચિંતન કરવાની પૂર્ણ તૈયા૨ી છે તેવા વિદ્વાને સર્વ કર્મોનો ત્યાગ કરી, મુક્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. કર્મત્યાગનો સંદેશ આપવા પાછળના કારણનો ઘટસ્ફોટ હવે પછીના શ્લોક દ્વારા કરવામાં આવશે. कर्म चित्तस्य शुद्धये (છંદ-અનુષ્ટુપ) चित्तस्य शुद्धये कर्म न तु वस्तूपलब्धये । वस्तुसिद्धिर्विचारेण न किञ्चित्कर्मकोटिभिः ।। ११।। । तु वस्तु उपलब्धये = = = = ૫૧ = કર્મ આત્મવસ્તુી પ્રાપ્તિ માટે न નહીં. वस्तुसिद्धिः = આત્મજ્ઞાન = અંતઃકરણની विचारेण શુદ્ધિ માટે (છે) પરંતુ कर्मकोटिभिः किञ्चित् न = = = વિચા૨થી (થાય છે) કરોડો કર્મોથી લેશ માત્ર પણ = · થતું નથી.
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy