SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનંદના આસ્વાદરૂપી ફળનું દર્શન કરાવે છે અર્થાત્ જ્ઞાની પોતાની અંદર એટલે કે બહારના કોઈ પણ વિષયોના અભાવમાં પણ આનંદનો જ અનુભવ કરે છે. તેથી કોઈએ એવું ન સમજવું કે જ્ઞાની જ્યારે બહા૨ના ભૌતિક જગતમાં વિહાર કે વિચરણ કરે છે ત્યારે તે દુઃખી થઈ જાય છે. એવી ભ્રાંતિ દૂર ક૨વા અત્રે જણાવ્યું છે કે જીવન્મુક્ત પોતાની બહાર પણ આનંદસનો અનુભવ કરે છે. તેનું તાત્પર્ય એવું છે કે જ્ઞાનીને સર્વાત્મદૃષ્ટિ હોવાથી, પોતાથી અન્ય બાહ્ય ભૌતિક જગતમાં તેને જે કંઈ દૃશ્ય, શેયરૂપે અનુભવગમ્ય છે તે સર્વમાં તે પોતાના આત્માના જ દર્શન કરે છે. તેથી જે જીવન્મુક્ત યોગીએ આનંદરસનો પોતાની અંદર અનુભવ કર્યો, તે જ આનંદ૨સનો અનુભવ પોતાની બહાર ભૌતિક જગતમાં પણ તે કરે છે. તે જ્યાં જ્યાં વિહાર કરે તે તે દેશ અને પદાર્થોને તે આત્મમય જુએ છે. જેના જેના સંપર્કમાં આવે તેને આત્મસમાગમ સમજે છે. જેનું જેનું શ્રવણ કરે તેને આત્મશ્રવણ માને છે. આમ, તે કદાપિ અતીન્દ્રિય સુખ કે આત્માના અસીમ આનંદથી વિખૂટો થતો નથી. માટે જ દર્શાવ્યું છે કે “હિન્તઃ સવાનન્દ-સસ્વાવનમાત્મનિ ।।” ૬૬૪ (છંદ-અનુષ્ટુપ) वैराग्यस्य फलं बोधो बोधस्योपरतिः फलम् । स्वानन्दानुभवाच्छान्तिरेषैवोपरतेः वैराग्यस्य फलम् દોષઃ =વૈરાગ્યનું = ફળ નમ્ ॥૪૨૦ સ્વાનન્વાનુભવાતુ = નિજાનન્દની અનુભૂતિથી શાન્તિ થાય =આત્મજ્ઞાન છે. શાન્તિઃ નોધસ્ય તમ્ =આત્મજ્ઞાનનું ફળ ખાવ उपरतिः = = આ જ =ઉપરિત છે. ઉપરતે તમ્ = ઉપરતિનું ફળ છે. વૈરાગ્યનું ફળ આત્મજ્ઞાન છે, તેવું દર્શાવવા વૈરાયસ્ય હતું નોધઃ ’’ એવો ઉપદેશ આપ્યો. તેમાં સંકેત એવો છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે વૈરાગ્ય પ્રબળ, પ્રમુખ સાધન છે અને વૈરાગ્યના બળથી ચિત્તને બહિર્મુખી
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy