SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્યતિ વધુ ” “પ્રારબ્ધ કર્મ જ શરીરનું પોષણ કરે છે.” માટે પ્રારબ્ધ, દેહના પોષણની, રક્ષણની, વ્યાધિમુક્તિની આદિ તમામ જવાબદારી વહન કરશે જ. કારણ કે દેહના જન્મનું કારણ પ્રારબ્ધ છે અને પ્રારબ્ધને આધીન જ દેહનો અંત છે. આમ, જો પ્રારબ્ધ જ દેહનો માલિક હોય તો જ્ઞાનીને દેહની કોઈ પણ પ્રકારની ચિંતા શા માટે? આવો જ ઉપદેશ શ્રુતિએ પણ આપ્યો છે. "आत्मानं चेत् विजानीयात् अयमस्मीति पूरुषः । किमिच्छन् कस्य कामाय शरीरमनुसंज्वरेत् ॥" (બૃહદારણ્યક ઉપનિષદ-૪/૪/૧૨) (છંદ-અનુષ્ટ્રપ) संसिद्धस्यं फलं त्वेतज्जीवन्मुक्तस्य योगिनः । बहिरन्तः सदानन्दरसास्वादनमात्मनि ॥४१६॥ संसिद्धस्य = (આત્મજ્ઞાન રૂપી) સિદ્ધિને પ્રાપ્ત जीवन्मुक्तस्य = જીવન્મુક્ત યોનિનઃ • = યોગીને માત્મનિ વઃિ મન્તઃ = પોતાના આત્મામાં અંદર અને બહાર સહાજરસાસ્વાદનમ્ = સદા આનન્દરસનો આસ્વાદ મળવો તત્ તુ પત્તમ્ = એ (જ્ઞાનનું) પ્રસિદ્ધ ફળ છે. આત્મજ્ઞાનનું ફળ આત્મજ્ઞાનરૂપી સિદ્ધિને પ્રાપ્ત જીવન્મુક્ત યોગીને પોતાના આત્મામાં અંદર અને બહાર સદા આનંદરસનો આસ્વાદ મળવો તે જ્ઞાનનું પ્રસિદ્ધ ફળ છે. આત્મજ્ઞાનથી મહાન કોઈ સિદ્ધિ નથી. આત્મજ્ઞાનથી મોટું કોઈ સુખ નથી અને તેના અભાવમાં તેથી મોટું અન્ય કોઈ દુઃખ કે નિષ્ફળતા નથી. આત્મજ્ઞાન જ સદા સર્વદા જ્ઞાનીને પોતાની અંદર અને બહાર
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy