SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૦ પામીશ નહીં.) વારંવાર (મનમાં દોષદર્શનરૂપી) વિચાર કર્યા કર અને ગોવિંદનું સ્મરણ કર.” આવી રીતે અનેક સ્થળોએ દેહચિંતનનો ત્યાગ અને આત્મચિંતનનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ' (છંદ-ઉપજાતિ) समूलमेतत् परिदह्य वह्नौ - સવારે વાળ નિર્વિકલ્પે I ततः स्वयं नित्य विशुद्धबोधा નન્દાત્મના તિતિ વિરિષ્ઠ: 19દ્દા સલાને નિર્વિજો = સસ્વરૂપ અને નિર્વિકલ્પ ' વિહળ વલી = બ્રહ્મરૂપ અગ્નિમાં તત્ સમૂર્ત વહ = (જગત)ને મૂળ સહિત ભસ્મીભૂત કરીને તત: = ત્યાર પછી સ્વયં વિરિષ્ઠઃ = પોતે વિદ્વાનોમાં શ્રેષ્ઠ ગણાતો પુરુષ नित्य = નિત્ય (અને) વિશુદ્ધ-ઘોઘાનન્દાત્મના તિષ્ઠતિ વિશુદ્ધ જ્ઞાનાનન્દરૂપે રહે છે. આત્મજ્ઞાનીની આંતસ્થિતિનું વર્ણન કરતાં, પૂર્વેના અનુસંધાનમાં જણાવેલું છે કે જેણે દેહમાં દોષદર્શન દ્વારા તેનું વિસ્મરણ કરવા માટે દેહ છાયાવત, રાખવત, જડવત, મળવત અને વાન્તવસ્તુવત-વમનવત છે એવો દઢ નિર્ણય કર્યો છે, તેવો વિદ્વાનોમાં સર્વશ્રેષ્ઠ ગણાતો પુરુષ, અત્રે જણાવ્યું છે તેમ, નિર્વિકલ્પ, સસ્વરૂપ બ્રહ્માગ્નિમાં દેશ્યપ્રપંચરૂપી સંસારને તેના માયા જેવા મૂળસહિત ભસ્મ કરે છે. અગર નામ અને આકારવાળા દેહને તેના મૂળ અવિદ્યા સહિત બાળી મૂકે છે. તત્પશ્ચાત્ પોતે નિત્ય, વિશુદ્ધ જ્ઞાનાનંદરૂપે પોતાના ચૈતન્યસ્વરૂપમાં સ્થિત રહે છે. માટે જ તેવા જ્ઞાનીની સ્તુતિ કરવા તેને “વિકરિષ્ઠ:' એવું ઉપનામ અપાયેલું છે. આમ, જે દેહ અને જગતને તેના મૂળસહિત જ્ઞાનરૂપી અગ્નિમાં ભસ્મ કરી શકે, તે જ વિદ્વાનોનો વિદ્વાન છે, સૂક્ષ્મદર્શીઓનો પણ સૂક્ષ્મદેષ્ટા છે, તત્ત્વચિંતકોનો પણ ચિંતક છે અને
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy