SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ છે માટે જ શ૨ી૨ બાબત મૌન સેવે છે. નથી તે શરીરસુખનો વિચાર કરતો, નથી શ૨ી૨ના ભોગની વાસના વધારતો પરંતુ જ્ઞાનરૂપી અગ્નિમાં શરીરની તમામ વાસનાઓને ભસ્મીભૂત કરે છે. તેથી વાસનાના નાશમાં તેને પુનર્જન્મનો સંભવ જ હોતો નથી. આમ, જે પુનર્જન્મથી છૂટે છે,'જીવતાં જ શરીર સાથે સંબંધ તોડે છે, શરીરને મૃતદેહ કે પડછાયો ગણે છે, તેને જ સંતો અને શાસ્ત્રો મહાત્માની ઉપાધિથી અલંકૃત કરે છે. અન્ય જે કોઈ “હું શરીર છું'' એવો અહંકાર કે અહંભાવ તથા “શરીર મારું છે”, તેવો મમભાવ અગર મમત્વ રાખે છે, તેવા સૌ પામરજીવો કહેવાય છે અને વારંવાર ગર્ભથી સ્મશાનના ચકરાવામાં આંટા માર્યા કરે છે. હવે મુમુક્ષુએ જ વિચારવાનું રહ્યું કે પામર થઈ જન્મ-મૃત્યુના ચકરાવે ચઢવું કે મહાત્મા થઈ પુનર્જન્મનો અંત આણવો. (છંદ-માલિની) सततविमलबोधानन्दरूपं समेत्य त्यज जडमलरूपोपाधिमेतं सुदूरे । अथ पुनरपि नैषः स्मर्यतां वान्तवस्तु स्मरणविषयभूतं कल्पते कुत्सनाय ॥४१५॥ સતતવિમલનોથાનન્વરૂપ સમેત્ય = નિરંતર નિર્મળ જ્ઞાનસ્વરૂપ અને આનંદસ્વરૂપ આત્માને સમજીને जडमलरूपोपाधिं एतम् सुदूरे त्यज अथ पुनः अपि न एषः स्मर्यताम् वान्तवस्तु स्मरणविषयभूतम् कुत्सनाय कल्पते. = આ મળરૂપ જડ ઉપાધિનો દૂરથી જ ત્યાગ કરી દે. અને ફરીથી કોઈવા૨ પણ એને યાદ કરીશ નહીં. (કારણ કે) ઓકી કાઢેલી વસ્તુ જો ફરી યાદ આવે તો તે જુગુપ્સા પેદા કરે છે. મુમુક્ષુને ઉપદેશ આપવામાં આવે છે કે નિરંતર નિર્મળ = ૬૫૮ = = = = =
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy