SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ न अपि ईक्षितः मृगतृष्णिकायाम् न अम्बुबिन्दुः हिं परतत्त्वबोधात् निर्विकल्पे सदात्मनि ब्रह्मण विश्वं न हि अस्ति = = = = = = = = ૬૪૫ (કોઈએ) પણ જોયો નથી. (અને) ઝાંઝવાના જળમાં જળનું એક ટીપું પણ (કોઈએ જોયું નથી.) (તેમ) પરતત્ત્વનું જ્ઞાન થતાં નિર્વિકલ્પ (અને) સસ્વરૂપ બ્રહ્મમાં જગત (ખરેખર) છે જ નહીં. અજ્ઞાનકાળે દોરીમાંથી જન્મેલો ભ્રાંતિરૂપી સર્પ, દોરી ઉપ૨ જ દેખાય છે અને જ્ઞાન થતાં અર્થાત્ ભ્રાંતિ દૂર થતાં દોરીમાં જ લય પામે છે છતાં વાસ્તવિકતામાં ભ્રાંતિરૂપે અનુભવાયેલ સર્પ ભૂત, ભવિષ્ય કે વર્તમાન એક પણ કાળે સત્ય નહોતો, નથી અને હોઈ શકે પણ નહીં. તે જ પ્રમાણે ઝાંઝવાના જળ દેખાય ખરાં, પરંતુ તેવા મૃગજળનું એક ટીપું પાણી પણ વાસ્તવિક કે સત્યતામાં કોઈ પણ કાળે કોઈએ જાણેલું હોતું નથી. તે તો જળની ભ્રાંતિ છે, જળ નહીં. તે જ પ્રમાણે નિર્વિકલ્પ બ્રહ્મનું જ્ઞાન થતાં સમજાય છે કે સત્સ્વરૂપ બ્રહ્મમાં જગત આરોપરૂપે અનુભવાય છે ખરું, પરંતુ ભ્રાંતિકાળે દેખાયેલા સર્પ જેમ ભૂત, ભવિષ્ય કે વર્તમાન એક પણ કાળે જગતનું સાચું અસ્તિત્વ હોઈ શકે નહીં. જો જગત સત્ય હોય તો, તેનો કદી બાધ થાય નહીં. પરંતુ સુષુપ્તિમાં જગતનો અભાવ જણાય છે, તેથી જગત સત્ય નથી, તે જ પ્રમાણે જાગ્રતમાં દેખાતું જગત, સ્વપ્નમાં નથી અને સ્વપ્નસૃષ્ટિ જાગ્રતમાં હોતી નથી. આમ, જાગ્રત અને સ્વપ્નસમયનું જગત, અસત કે ખોટું હોવા છતાં, તેવું અસત જગત ખોટે ખોટું પણ સુષુપ્તિમાં તો જણાતું નથી, તો જગતની રહી ક્યાં સત્યતા? કે કેવું જગતનું નિત્યત્વ? કે ક્યાં રહ્યું તેનું સાચું સતત્વ? માટે જ કહ્યું કે જગત કોઈ કાળે અસ્તિત્વમાં નથી. “ન ઇસ્તિ વિશ્વ ાતંત્રયે પિ ।” “કાળત્રિપુટીમાં ક્યાંય જગત અસ્તિત્વ ધરાવતું નથી.’’
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy