________________
અન્ય સંભવી શકે નહીં. માટે જ અત્રે સ્પષ્ટ છે કે “અદ્વિતીયે નિર્વિશેષે મિવા ઝુતઃ ।” આમ, અભેદ એક પરમતત્ત્વ બ્રહ્મમાં ભેદની ચર્ચા, તર્ક-વિતર્ક, તે વિષેનો સંવાદ કે ભેદમય વાર્તાલાપ સંભવી શકે તેમ નથી. “ભળે परे तत्त्वे भेदवार्ता कथं भवेत् । ”
સુષુપ્તિની અવસ્થામાં અનેકતા, જુદાઈ કે ભેદ અનુભવાતા નથી. ત્યાં નથી ભેદ સજ્જન કે ચોરના, નથી પુણ્ય કે પાપના, નથી સકામ કે નિષ્કામ જેવા કર્મના, નથી ગ્રહણ કે ત્યાગના, નથી ભોગ્ય કે ભોક્તાના. અરે! ત્યાં નથી કાંઈ દશ્ય કે હોઈ શકે દૃષ્ટા, નથી કાંઈ જ્ઞેય કે તેનો જ્ઞાતા. આમ, દ્વૈતસૃષ્ટિનો અભાવ છે માટે નથી શંકા કે સમાધાનની ઝંઝટ, નથી પ્રશ્ન કે નથી સંભવતું ઉત્તરનું સંશોધન, નથી કોઈ સંતપ્ત કે શોકમગ્ન કે જેથી હોય આશ્વાસનની પ્રવૃત્તિ, નથી હતાશા, નિરાશા કે ભગ્નાશાના વંટોળ, તો જરૂર ક્યાં પ્રોત્સાહનના પૂરની? અરે! નથી સુષુપ્તિમાં દુઃખનો દરિયો કે સુખનો જળપ્રપાત. આમ, પ્રવૃત્તિશૂન્ય, નિષ્ક્રિય સુષુપ્તિમાં નથી સ્પર્ધા કે કોઈ મોખરે હોય અને કોઈ આખરે હોય. તેથી નથી સ્પર્ધાની તંગ અવસ્થા, નથી કંઈ લૂંટાઈ જવાની ચિંતા કે પ્રાપ્તિનો ઉમંગ. આમ, સર્વ કાંઈના અભાવમાં જ જેમ માત્ર સુખ જ અનુભવાય છે, ભેદ કે ભય નહીં, તે જ પ્રમાણે ભેદશૂન્ય અખંડ, એક પરબ્રહ્મમાં અનુભવાય છે માત્ર અતીન્દ્રિય સુખ અને અભેદ, અખંડ, અલૌકિક આનંદ.
જ
(છંદ-ઉપજાતિ)
न ह्यस्ति विश्वं परतत्त्वबोधात्
૬૪૪
कालत्रये अपि
गुणे
મહિ:
सदात्मनि ब्रह्मणि निर्विकल्पे ।
कालत्रये नाऽप्यहिरीक्षितो गुणे
न ह्यम्बुबिन्दुर्मृगतृष्णिकायाम् ॥४०५॥
=
=
=
(ભૂત-ભવિષ્ય અને વર્તમાન) ત્રણે કાળમાં
દોરીમાં .
સર્પ