SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ અપેક્ષાઓમાંથી છૂટવું જોઈએ. મને જગતના પદાર્થોનું જે મિથ્યા મૂલ્ય આંક્યું છે તેમાંથી છૂટવું જોઈએ, આપણા જીવનમાં આપણે મનની માગોનું કબ્રસ્તાન-સ્મશાન બનાવવું જોઈએ. જે મન સંસારની વાસના અને સંકલ્પથી મુક્ત થઈ શકે છે તે જ સંસારના પદાર્થોની આસક્તિથી મુક્ત થઈ શકે છે. વાસના અને સંકલ્પ જ ન હોય તો મન ચંચળ ન હોય, ચંચળતા ન હોય તો મનમાં વિક્ષેપ ન હોય. વિક્ષેપ ન હોય તો અશાંતિ ન હોય અને મન શાંત હોય. આવું શાંત મન જ દઢ આત્મનિષ્ઠા દ્વારા જ્ઞાનયોગમાં આરૂઢ કરી, આરૂઢ થયેલા વિવેકી મન વડે આપણા અવિવેકી મનને સંસારસાગરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ. વિવેકી મન વડે જ અવિવેકી મનનો ઉદ્ધાર કરવાનો છે માટે જ કહેવાયું છે કે, મન વડે મનનો ઉદ્ધાર કરવો. મન વડે જ મનની દીવાલોને પાર કરવાની છે અને મનથી પર તત્ત્વનો સાક્ષાત્કાર કરવાનો છે. | (છંદ-અનુષ્ટ્રપ) संन्यस्य सर्वकर्माणि भवबन्धविमुक्तये । यत्यतां पण्डितैीरैरात्माभ्यास उपस्थितैः ।। १०।। માત્મ-મધ્યાસે = આત્મજ્ઞાનના ર્માણ = કર્મોને અભ્યાસમાં . સંન્યસ્ય = છોડીને ઉપસ્થિતૈઃ = તત્પર થયેલા મવવન્ય- = સંસારરૂપી ધીરે: = પૈર્યશીલ બંધનથી દન્તઃ = સાધક વિદ્વાનોએ વિમુવયે = વિમુક્તિ માટે સર્વ . = બધાં થતામ્ = પ્રયત્ન કરવો. આત્મચિંતનમાં તત્પર થયેલા પૈર્યશીલ વિદ્વાનોએ બીજાં બધાં કર્મો અર્થાત્ આત્મચિંતન સિવાયના બધાં કર્મો છોડી માત્ર સંસારરૂપી બંધનથી મુક્ત થવા પ્રયત્ન કરવો જોઈએ. સર્વ કર્મોનો ત્યાગ કરવાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે, અત્રે શંકરાચાર્યજીએ જે શરત મૂકી છે તે ખૂબ અગત્યની છે.
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy