________________
૬૩૪
અભેદ, અખંડ, અદ્વિતીય, છે તેથી અભેદ કે અદ્વિતીયમાં જયાં દ્વૈતની કલ્પના જ નથી ત્યાં કોણ અંદર અને કોણ બહાર? અંદર-બહારના ભેદ તો દેહના દૃષ્ટિકોણથી છે, જ્યાં જીવાત્મા અંતર્યામી કે પ્રત્યાત્મા અંદર હોય અને પંચકોશાદિ કે સ્થૂળ શરીર બહાર દૃશ્ય હોય. પરંતુ શુદ્ધ આત્મતત્ત્વમાં જ્યાં ભેદ નથી ત્યાં આંતર્બાહ્ય શૂન્યત્વ જ છે. તે જ ન્યાયે આત્મામાં કોઈ વિકા૨ો સંભવતા નથી. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ જેવા વિકારો તો જડ દેહમાં જ સંભવી શકે. નિર્વિકાર આત્મામાં કદાપિ નહીં. આવી વિચારણાથી નિતાંત નિષ્કર્ષના નવનીત જેવું સુબોધ તત્ત્વ હસ્તગત થતાં જ્ઞાનમાં સમજાય છે કે જે આત્મતત્ત્વ આકાશવત નિર્મળ છે, નિર્વિકલ્પ છે, નિર્વિકાર છે, નિઃસીમ છે, નિષ્યંદન છે, નિરુપમેય છે, તથા આંતર-બાહ્ય જેવી લક્ષ્મણરેખાથી મુક્ત છે, તે અદ્રય અને અનન્ય બ્રહ્મતત્ત્વ ‘સ્વયં, હું પોતે જ છું', આવું મારા આત્મસ્વરૂપનું નિઃસંદેહ પરમ જ્ઞાન મને મારા દ્વારા જો થયું હોય તો મુજ સર્વોત્કૃષ્ટ આત્મતત્ત્વના અભેદજ્ઞાનથી વધુ જાણવા જેવું અન્ય છે શું? તત્ अन्यत् किं बोध्यम् ?
(છંદ-શાર્દૂલવિક્રીડિત)
वक्तव्यं किमु विद्यते ऽत्रबहुधा ब्रह्मैव जीवः स्वयं ब्रह्मैतज्जगदाततं नु सकलं ब्रह्माद्वितीयं श्रुतेः । ब्रह्मैवाहमिति प्रबुद्धमतयः सन्त्यक्तबाह्याः स्फुटं ब्रह्मीभूय वसन्ति सन्ततचिदानन्दात्मनैव ध्रुवम् ॥ ३६५॥
अत्र
किमु बहुधा वक्तव्यं विद्यते
जीवः स्वयं ब्रह्म एव
एतत् आततं सकलं जगत नु ब्रह्म
ब्रह्म अद्वितीयं श्रुतेः
= આ બાબતમાં
=
= જીવ પોતે બ્રહ્મ જ છે.
આ વિસ્તાર પામેલું બધું જગત ખરેખર બ્રહ્મ છે.
=
વધારે શું કહેવા જેવું છે?
=
શ્રુતિ પણ કહે છે
‘‘બ્રહ્મ અદ્વિતીય છે''