________________
अनन्यम्
अद्वयम्
स्वयं परं ब्रह्म किं अस्ति बोध्यम्?
૬૩૨
= જેના જેવું બીજું કોઈ નથી તેવું. અદ્વૈત
=
= પરબ્રહ્મ હું પોતે જ છું (તેનાથી) = અન્ય કે વધુ જાણવા જેવું શું છે?
આત્મા કાનનો પણ કાન, મનનું પણ મન, પ્રાણનો પણ પ્રાણ, બુદ્ધિની પણ બુદ્ધિ છે, તેમ પ્રત્યક્ષ અને પરોક્ષજ્ઞાનનું પણ પરમ જ્ઞાન છે, તેવા આત્માને જાણ્યા પછી અવશેષ શું? તેવું ભવ્ય દર્શન કરાવતાં અત્રે સમજાવવામાં આવે છે કે, આકાશ નિર્મળ છે, અમલ છે, અસંગ છે અને “નિર્લેપ છે કારણ કે આકાશને ઉષાના અજવાળા ન તો સૌંદર્ય બક્ષે છે કે ન તો અમાસના અંધારા મહાકાળી જેવા રૌદ્ર કે ભયાનક રૂપથી રંગે છે, તેમ વંટોળના ચકરાવા ન તો તેને ફેરકુંદ૨ડી ફેરવે છે કે પોતાના કચરાથી મટમેલું કરે છે. ન તો જંગલની આગથી આકાશ ધૂમ્રવત થાય છે કે ન તો પૂર્ણિમાની ચાંદનીથી શીતળ બને છે. તે તો અસંગ છે. કેવો તેને સાથ-સંગાથનો કે ગ્રહણ-ત્યાગનો લેપ કે જેથી તે લેપાયમાન થાય? નીલગગન તો વીજળીના કડાકે એકનું બે થતું નથી કે કાચની જેમ તરડાઈ વિકૃત થતું નથી, તેમજ વાદળોની ગર્જનાથી ન ધ્રુજારી અનુભવે છે કે છિન્ન ભિન્ન થતાં વાદળોથી મોતનો સંકેત પણ પામે છે. આકાશ તો પોતાના સૌમ્ય, નિર્મળ, અમલ સ્વરૂપમાં સદા સર્વદા અચળ રહે છે. તેવું જ આત્મતત્ત્વનું નિર્મલત્વ, અમલત્વ અને અસંગત્વ સમજી લેવાનું છે. નથી આત્માને સાથ, સંગાથ, સથવારો કે સહયોગ મન કે અંતઃક૨ણ કે ઇન્દ્રિયસમૂહનો. તો પછી મૃત્યુ સમયે તેને કેવી વિદાય? કે પુનર્જન્મે કેવો ક્યાં નવો પ્રવેશ? આત્મા તો આવાગમનના ચક્રથી, સ્મશાનની રાખથી અને ગર્ભની ઓળથી મુક્ત હોઈ, સદા નિર્મળ છે અને તેના નિર્મલત્વને જાતિ, નીતિ, કુળ, ગોત્રના આરોપો મલિન કરી શકે તેમ નથી કે ન તો સત્ત્વ, રજસ, તમસ જેવા ગુણો તેને પ્રભાવિત કરી પોતાનો લેપ આત્મા ઉપર ચઢાવી શકે તેમ છે. માટે જ નિર્લેપ આત્મતત્ત્વ, તમસના આવરણથી કે રજસના વિક્ષેપથી લેપાયમાન ન થતાં અવિચ્છિન્ન રીતે નિર્લેપ રહે છે. માટે જ તે આકાશ જેવું નિર્મળ છે. નિર્વિલ્પમ્