SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૩ વહાવિસ્તખ્તપર્યન્તા = બ્રહ્મમાંથી આરંભીને ઘાસના તણખલા સુધીની उपाधयः = ઉપાધિઓ મૃષામાત્રા = મિથ્યા જ છે તત: = માટે વાત્મના સ્થિતમ્ = એકસ્વરૂપે સ્થિત स्वमात्मानम् = પોતાના આત્માને पूर्णम् = પૂર્ણરૂપે पश्येत् = જોવો. બ્રહ્માજી કે જે જગતના સર્જનહાર કહેવાય છે, તેવા સૃષ્ટિ રચયિતા બ્રહ્માજીથી માંડી અને સર્જનમાં નાનામાં નાની કે તુચ્છમાં તુચ્છ ઘાસના તણખલા સુધીની જેટલી ઉપાધિઓ છે તે સર્વે ઉપાધિઓ મિથ્યા છે. ઉપાધિઓ અનેક હોવાથી આત્મામાં ન તો વૃદ્ધિ થાય કે દેહાદિ જેવી ઉપાધિઓ અનેક હોવાથી આત્મામાં ન તો ઘટાડો થાય. કારણ કે પૂર્ણ આત્મામાંથી મિથ્યા કે ભ્રાંતિ જેવી ઉપાધિઓ જો બાદ કરવામાં આવે તો પણ આત્મા પૂર્ણ જ રહે છે અને અનેક નવા જન્મો થવાથી આત્મસ્વરૂપમાં કે તેના વિસ્તારમાં વધારો થતો નથી. કારણ કે સર્વ ઉપાધિઓ તો આરોપરૂપી ભ્રાંતિ છે. આરોપ મૂળ વસ્તુમાં ન તો વધારો કરી શકે કે ન ઊણપ ઊભી કરી શકે. જેમ સાગરમાં નદીઓના પૂરનું પાણી ન તો વૃદ્ધિ કરે કે દુકાળમાં પાણી ઓછું થવાથી સાગરના સ્વરૂપમાં ઊણપ આણે કારણ કે સાગર પોતે, પોતાનામાં પરિપૂર્ણ છે. તે જ પ્રમાણે સર્વ ઉપાધિઓ આત્મારૂપી ચૈતન્યના મહાસાગરમાં ઉદય પામતી તરંગો જેવી છે. તેમના ઉદય-અસ્તથી ચૈતન્ય મહાસાગરની પૂર્ણતામાં કોઈ ફેર પડતો નથી. તાત્પર્યાયેં, બ્રહ્માથી ઘાસના તણખલા સુધીની ઉપાધિઓ મિથ્યા છે, પણ તેમનું અધિષ્ઠાન આત્મા એક છે, પૂર્ણ છે માટે ઉપાધિઓને બાદ કરી, સર્વત્ર પૂર્ણાત્માનું જ દર્શન કરવું જોઈએ. એ જ સાચી આત્મદષ્ટિ છે. '
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy