________________
उपाधिशतैः न विविधम्
विमुक्तम् एकं भवति
तथा एव
अहमादि-विमुक्तम्
शुद्धं परम्
एक एव
દરર
= સેંકડો ઉપાધિઓના (સંબંધથી)
= વિવિધરૂપે થતું નથી (પરંતુ)
= (ઉપાધિઓથી) મુક્ત (અને)
એક રૂપે જ રહે છે.
તેવી જ રીતે
અહંકાર વગેરેથી મુક્ત
=
-
=
=
=
શુદ્ધ પરમાત્મા
એક માત્ર છે.
,, 66
સર્વાત્મદર્શન માટે દરેકે સમજવું કે આત્મ-અજ્ઞાનને લીધે જ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન તથા અહંકાર વગેરે જેવી સર્વ ઉપાધિઓથી આત્મા સંયુક્ત જણાય છે. પરંતુ વાસ્તવમાં અસંગ આત્માને કોઈ પણ પ્રકારની ઉપાધિ સાથે સંગ કે સંબંધ નથી. માટે અત્રે સંદેશ છે કે, “विमुक्तमात्मानमखण्डरूपम् આત્મા સર્વ ઉપાધિઓથી વિમુક્ત છે અને દ્વૈતભેદરહિત અર્થાત્ અખંડિત છે.'' તેથી દેહાદિની ઉપાધિ જેવા ભેદનું દર્શન આત્મામાં ન કરતાં જેમ અનેક ઘડાઓ, લોટાઓ, કોઠી કે સોય જેવી સેંકડો ઉપાધિઓમાં દેખાતું ઘટાકાશ આદિ અનેક નથી પરંતુ ઘડા આદિની ઉપાધિથી અનેક છે તેવું ભાસે છે. પરંતુ ઉપાધિ દૂર થતાં જ એક આકાશનું દર્શન થાય છે. તેવી જ રીતે દેહાદિની અનંત અગણિત ઉપાધિઓ હોવા છતાં અજ્ઞાનને લીધે જન્મેલી તે સૌ ઉપાધિઓ આત્મજ્ઞાનમાં નષ્ટ થતાં આત્મા જ ઉપાધિથી ન્યારો, મુક્ત અને મહાકાશની જેમ એક અને અખંડ, પૂર્ણ સ્વરૂપે જણાય છે. માટે નિત્ય નિરંતર પૂર્ણાત્માનું જ અવલોકન કરવું અને પૂર્ણાત્મામાં સ્થિત રહી પોતાના ઊણપના, હીનતાના કે અપૂર્ણતાના ભાવને દૂર કરતા રહેવું.
(છંદ-અનુષ્ટુપ) ब्रह्मादिस्तम्बपर्यन्ता मृषामात्रा उपाधयः ।
ततः पूर्णं स्वमात्मानं पश्येदेकात्मना स्थितम् ॥ ३८७॥