________________
૪૭
સંદર્ભનો વિચાર કરતાં સ્પષ્ટ છે કે અહીં ‘આત્મા’ શબ્દનો અર્થ સચ્ચિદાનંદસ્વરૂપ કે સ્થૂળ શરીર ઘટી શકે નહીં. સચ્ચિદાનંદસ્વરૂપને બંધન નથી અને સ્થૂળ શરીરની મુક્તિનો પ્રશ્ન નથી છતાં બંધનનો અનુભવ તો છે જ. આ બંધનનો અનુભવ કરનારું મન છે અને તેથી અહીં ‘આત્મા’ શબ્દનો અર્થ મન લેવાનો છે, મનના જ ઉદ્ધારનો પ્રયત્ન કરવાનો છે. મનને જ એવું લાગતું હોય છે કે, ‘મારામાં કંઈક ખામી કે ઊણપ છે,’ ‘હું અશાંત છું', ‘હું અપૂર્ણ છું’, ‘હું ભયભીત છું’, ‘હું દુ:ખી છું'. આ બધા જ ભાવ મન અનુભવે છે અને માટે મનને બંધન જેવું લાગે છે. મન જ્યારે જ્યારે બહિર્મુખ થાય છે ત્યારે બંધનનો અનુભવ કરે છે. મનને બંધનનો અનુભવ થવામાં મુખ્ય કારણ, મને પોતે જગતના પદાર્થોમાં ઊભી કરેલી આસક્તિ છે. આ મને જ જગતનાં બધાં પદાર્થોની કિંમત ઊભી કરેલી છે, બીજા કોઈએ નહીં. આપણે જાણીએ છીએ કે, હીરો અને કોલસો બન્ને એક જ પદાર્થ છે, કાર્બનનું જ જુદું જુદું સ્વરૂપ છે. વસ્તુત: બન્નેમાં કાંઈ વિશેષતા નથી
અને છતાં આપણા મને હીરાની કિંમત ખૂબ ઊંચી આંકી તેને મૂલ્યવાન બનાવી દીધો છે. ‘મોતી' પણ માછલીના પેટનો કચરો માત્ર છે છતાં તેના દ્વારા આપણે પોતાને અલંકૃત કરીએ છીએ. એટલું જ નહીં તે કચરાને લટકાવવા માટે ભગવાને આપેલા શ૨ી૨માં પણ કાણાં પાડીએ છીએ. વસ્તુતઃ જગતનાં પદાર્થો મૂલ્યવાન નથી પણ મન દ્વારા જ તેની ઊંચી કિંમત અંકાઈ છે. આપણું · મન જ જડ, નાશવાન પદાર્થોની બહુ ઊંચી કિંમત આંકી તેમાં આસક્ત બને છે, તેમની પાછળ આકર્ષાય છે. આસક્ત બનેલું મન અનેક જાતની માગણીઓ ઊભી કરે છે. તેની માગણીઓ અસીમ છે અને આપણા પ્રાપ્તિના સાધનોની સીમા છે. માગ અનંત છે અને માગ પૂરી કરવાની આપણી શક્તિ મર્યાદિત છે. જયારે આપણી મર્યાદિત શક્તિ દ્વારા, મનની અમર્યાદિત માગણીઓ સંતોષાતી નથી ત્યારે મનને લાગે છે કે આ જગત જીવવા જેવું નથી, જીવનમાં ઊણપ છે. મન પોતે જ આવા વિચારો કરી વિક્ષિપ્ત બને છે. વિક્ષિપ્ત બનેલું અવિવેકી મન વિચારે છે કે, “મેં જેની ઇચ્છા કરી હતી તે ન મળ્યું, મારે જયાં જવું હતું ત્યાં ન પહોંચાયું, જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી છે તે ન મળી,