________________
૬૧૭
(છંદ-ઉપજાતિ) एषः स्वयंज्योतिरशेषसाक्षी
વિજ્ઞાનજોશે વિતસત્યનત્રમ્ | लक्ष्यं विधायैनमसविलक्षण
मखण्डवृत्त्यात्मतयाऽनुभावय ॥३८॥
N:
= આ स्वयंज्योतिः = સ્વયં પ્રકાશ (અને) अशेषसाक्षी = સૌનો સાક્ષી આત્મા विज्ञानकोशे = વિજ્ઞાનમયકોશમાં अजस्रम् . = નિરંતર विलसति = વિરાજે છે. મદ્ વિતક્ષણમ્ = અસત(મિથ્યા સંસાર)થી ભિન્ન
= એવા એને સર્ચ વિઘા = લક્ષ્ય બનાવી अखण्डवृत्त्या = અખંડાકારવૃત્તિથી (તેની) વાભાતિયા . = આત્મભાવે अनुभावय = ભાવના કર.
एनम्
અનાત્મચિંતન ત્યાગી આત્મચિંતનની પ્રેરણા પ્રદાન કર્યા બાદ અત્રે સૂચવવામાં આવે છે કે, જે આત્મા, ચિંતનનો વિષય કે ધ્યેય છે, તે સ્વયં પ્રકાશ છે અર્થાત્ જ્ઞાનસ્વરૂપ છે અને સૌનો પ્રકાશક હોવા છતાં પરપ્રકાશિત નથી. તેવો આત્મા સર્વનો સાક્ષી છે અને વિજ્ઞાનમય કોશમાં નિરંતર બિરાજે છે. અર્થાત, તત્ત્વાર્થે બુદ્ધિરૂપી ગુહામાં સ્થિત છે. તેવા શ્રુતિસંકેતનો સાર્થક અર્થ એટલો જ છે કે તે સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ય છે. તેટલું સમજાવવા માટે જ અત્રે આદિ શંકરાચાર્યજીએ ઉલ્લેખ કર્યો કે, સાક્ષી આત્મા વિજ્ઞાનમયકોશમાં (સૂક્ષ્મ બુદ્ધિરૂપી ખજાનામાં) બિરાજે છે.
આવો સાક્ષી આત્મા જે ધ્યાતાનું ધ્યેય છે તે અસત પદાર્થોથી