SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૫ સફળ થઈ શકે નહીં. માટે જ સૌ પ્રથમ ધ્યાનની એકાગ્રતા માટે સમજાવ્યું છે કે “વહોન્દ્રિયં વાસ્થાને વિનિવેશ્ય मानसं लक्ष्ये ब्रह्मणि दृढतरं संस्थाप्य ।" “ઇન્દ્રિયોના બહિર્મુખી સ્વભાવથી જ તે વિષયભોગમાં ભ્રમણ કરવા ટેવાયેલી છે અને બધી ઇન્દ્રિયો સાથે મળીને બળાત્કારે પણ મનને વિષયોમાં ડુબાડનારી હોવાથી ઇન્દ્રિયોને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જેવા વિષયોથી પાછી બોલાવી મનમાં જ સ્થિર કરવાનું સૂચન છે. જેથી બાહ્યભ્રમણથી વ્યય થતી શક્તિ અને એકાગ્રતાને કેન્દ્રિત કરી લક્ષ્યમાં જોડી શકાય.” આમ, ઈન્દ્રિયોને અંતર્મુખી કરી, મનને શાંત કરી, શરીરને સ્થિર કરી, શરીરની સ્થિતિની ઉપેક્ષા કરી, બ્રહ્મભાવમાં તન્મય થઈ જીવ અને બ્રહ્મનું ઐક્ય અનુભવવું, એવો સંકેત છે. તાત્પર્યમાં ઇન્દ્રિયો, મન અને શરીરની આસક્તિ કે ચિંતન ત્યાગી દઈ, તેમના ઉપરનો અહંભાવ કે મમભાવ છોડી, તે સૌની ઉપેક્ષા કરીને બ્રહ્મભાવના દ્વારા તમામ દૈતપ્રપંચની નિવૃત્તિ કરી, જીવ અને બ્રહ્મ અભેદ અને અદ્વિતીય છે, તેવું જ્ઞાન પ્રાપ્ત કરવું. તન્મયભાવથી જીવબ્રહ્મના ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરી, “હું અભેદ આત્મા છું', તેવી અખંડાકારવૃત્તિ દ્વારા, આત્મચિંતનમાં નિરંતર નિમગ્ન રહેવું અને બ્રહ્માનંદરસનું પાન કરવું. તે સિવાયની અન્ય નિરર્થક શ્રેયશૂન્ય પ્રવૃત્તિઓ, ભ્રમણાઓ કે ભ્રમણથી પ્રયોજન શું? | (છંદ-અનુરુપ) अनात्मचिन्तनं त्यक्त्वा कश्मलं दुःखकारणम् । चिन्तयात्मानमानन्दरूपं यन्मुक्तिकारणम् ॥३८०॥ શ્નનમ્ = પાપરૂપ અને કુવારપામ્ = દુઃખનું કારણ (હોવાથી) મનાત્મવિન્તનમ્ = જગતના વિષયોનું ચિંતન
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy