SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૫ અંતર્મુખી બનાવવા માટે તેને ઇન્દ્રિયોનો સંગ છોડાવી પાછું બોલાવવું જરૂરી છે. કારણ કે બહિર્ગમન કરનારું મન વધુ ચંચળ અને અશાંત બને છે. માટે જો તેને વિક્ષેપરહિત કરવું હોય તો તેની વિષયદોટ થંભાવી તેને બુદ્ધિમાં સ્થિત કરવું જોઈએ. આ પ્રમાણે વાણીનો મનમાં, મનનો બુદ્ધિમાં અને સારાખોટા નિર્ણય કરનારી બુદ્ધિનો સાક્ષી આત્મામાં વિલય કરવો જોઈએ. કારણ કે હું સાક્ષી છું તેવું સૂક્ષ્મ અભિમાન પણ જીવાત્માને રહેવું જોઈએ નહીં. તેથી જો કોઈ મુમુક્ષુ “હું સાક્ષી છું', “ત્યાગી છું', “જ્ઞાની છું, “નિષ્કામ કર્મયોગી છું,” “મુનિ છું,’ એવા કોઈ પણ જાતના અભિમાનથી પીડાતો હોય તો તેવા અહંકારનો પણ વિલય કરવો જોઈએ. તત્ત્વાર્થે તો નિર્વિકલ્પ બ્રહ્મ સાથે અભેદ અનુભવ થવાથી જીવ-બ્રહ્મ ઐક્યનું જ્ઞાન થતાં ત્યાં દૈતપ્રપંચ બચતો જ નથી અર્થાત્ આત્મજ્ઞાનમાં નથી ઇન્દ્રિયોના વિષય કે નથી મનની કાલ્પનિક સૃષ્ટિ કે નથી ત્યાં બુદ્ધિના તર્ક-વિતર્ક જેવા વિષયો. આમ, જે જ્ઞાનમાં મન, વાણી, બુદ્ધિ કે ઈન્દ્રિયો વિહાર કરી શકે તેવું વિશ્વ જ જો અસ્તિત્વમાં નથી, તો તેનો સાક્ષી ક્યાં? જો દશ્ય સૃષ્ટિ જ નથી, તો દષ્ટા કેવો? જો કંઈ જોય નથી, તો જ્ઞાતા ક્યાં? તે જ ન્યાયે સાક્ષ્ય જેવું વૈત જગત જ નથી, તો સાક્ષી કેવો? મન, બુદ્ધિ કે ઈન્દ્રિયો જ નથી, તો સાક્ષી કેવો? આમ, અત્રે સ્પષ્ટ જ કહ્યું છે કે સાક્ષી જીવાત્માનો નિર્વિકલ્પ બ્રહ્મમાં વિલય કરીને તે મુમુક્ષુ ! તું શાંતિને પ્રાપ્ત થા. | (છંદ-અનુરુપ) देहप्राणेन्द्रियमनोबुद्ध्यादिभिरुपाधिभिः । यैर्यैवृत्तेः समायोगस्तत्तद्भावोऽस्य योगिनः ॥३७१॥ રેઢ-પ્રાગજિય-મનઃ = શરીર, પ્રાણ, ઇન્દ્રિય, મન, કુલિમિઃ ૩પમ = બુદ્ધિ વગેરે ઉપાધિઓ સાથે થઃ ઃ વૃત્તઃ સનાયા = જે જે વૃત્તિથી જોડાય છે. તત્ તત્ માવ: = તે તે ભાવ નઃ = આ યોગીને પ્રાપ્ત થાય છે.
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy