________________
૬૦૩
इन्द्रिय-उपरमणे = ઈન્દ્રિયોને વશ કરવામાં
કાન્તસ્થિતિઃ = એકાન્તવાસ (કારણ છે.) વેતન: સંરોધે દેતુઃ = ચિત્તના નિરોધનું કારણ
મ: વકરમ્ = ઇન્દ્રિય દમન છે. ઉદ્દે વાસના વિનય શમેન યાયાત્ = અહંકારની વાસનાનો
વિલય શમથી થાય છે. तेन योगिनः = (અને) તેનાથી (અહંકારના વિલયથી) યોગીને સદા અવતા વાહી = અચલ બ્રાહ્મીસ્થિતિમાં માનન્દરસાનુભૂતિઃ - આનંદરસનો અનુભવ થાય છે. તમાન્
= માટે મુનેઃ વિત્તનિરોધ: વ- મુનિએ ચિત્તનો નિરોધ જ સતત પ્રયત્નન ઋાર્ય = સતત પ્રયત્નપૂર્વક કરવો.
પૂર્વ શ્લોકના સંદર્ભમાં જણાવાયેલું છે કે એકાન્તવાસ ઇન્દ્રિયોને વશ કરવામાં મદદરૂપ થાય છે. કારણ કે ત્યાં ઇન્દ્રિયોને વિષયભ્રમણ માટે મુક્તવિહારની સગવડતા અને સંજોગ પૂરતા પ્રમાણમાં નહીં મળવાથી તેમનું બહિર્ગમન ઓછું થાય છે અને તેથી ઓછા વિક્ષેપ જોવા મળે છે. એટલું જ નહીં, પણ ઇન્દ્રિયો ઘણી વાર બળજબરીથી મનને પણ વિષયભોગમાં ખેંચી જાય છે તેથી મન પણ ચંચળ બને છે અને ચંચળ મન આત્મચિંતન કે મનન માટે કદી એકાગ્ર થઈ શકે નહીં. માટે જ એકાંતસેવનને મહત્ત્વ અપાયું છે અને ઉપદેશ આપવામાં આવ્યો છે કે મુમુક્ષુએ પ્રારંભમાં ઇન્દ્રિયો અને મનને વશ કરવા માટે એકાંતસેવન કરવું જોઈએ.
એકાંતસેવનથી શમ અને દમ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, પરંતુ અહંકારની વાસનાઓનો પણ નાશ થાય છે અને તેના પરિણામે યોગી કે મુનિને અચલ બ્રહ્માનંદરસનો અનુભવ થાય છે. માટે મનનશીલ સાધકે અથવા મુનિએ ચિત્તની વૃત્તિઓનો, ચિત્તના વિષયભ્રમણનો, ચિત્તના