SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૫ अखिलकर्मनाशः = (અને) બધાં કર્મોનો નાશ પણ થાય છે. મન્તઃ વહિઃ સર્વતઃ વ = અંદર, બહાર (અને) સર્વત્ર सर्वदा = સદાને માટે अयत्नतः = અનાયાસે स्वरूप-विस्फूर्तिः = આત્મસ્વરૂપનું જ્હરણ स्यात् = થાય છે. સૂક્ષ્મ બુદ્ધિ કે શુદ્ધ મનની મદદથી જે નિર્વિકલ્પ સમાધિ સંભવ બને છે તેનું અત્રે ફળ જણાવાયું છે. “समाधिनानेन समस्तवासना ग्रन्थेविनाशोऽखिलकर्मनाशः ।” શુદ્ધ મન કે સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા થતી નિર્વિકલ્પ સમાધિથી જે અદ્વિતીય આત્માનું જ્ઞાન થાય છે, તેવા જ્ઞાનાગ્નિમાં સંપૂર્ણ વાસનાગ્રંથિ ભસ્મ થાય છે અર્થાત્ વાસનાઓ નિઃશેષ થતાં નથી રહેતું વાસનાનું બંધન કે વાસનાની તૃપ્તિ માટે પુનર્જન્મનું ચક્ર. તે જ ન્યાયે, સમજવાનું કે જ્ઞાનાગ્નિમાં તમામ કર્મો ભસ્મીભૂત થવાથી, નથી કર્તવ્યકર્મનો નશો કે નથી અધૂરાં કર્મની ચિંતા, નથી નિત્ય કર્મનું વળગણ કે નૈમિત્તિક કર્મનો અજંપો, નથી સંચિત કર્મનો ભય કે આગામી કર્મની અકળામણ. આમ, નિર્વિકલ્પ સમાધિના પરમ પાવન પરિણામમાં વાસના અને કર્મના તમામ દર્દો, વિનો કે બંધનો નષ્ટ થાય છે. એટલું જ નહીં, પરંતુ સર્વ વિદનો કે વિક્ષેપોની નિવૃત્તિમાં અંદર અને બહાર સર્વત્ર સદાને માટે વિના પ્રયત્ન આત્મસ્વરૂપનો જ્ઞાનરૂપી પ્રકાશ જ અનુભવાય છે. તેથી કદાપિ અજ્ઞાનના તિમિરમાં અથડાવવાનો કે ભટકવાનો પ્રસંગ જ આવતો નથી. આમ, અજ્ઞાન, કર્મ અને વાસનાથી સદંતર મુક્તિ જ નિર્વિકલ્પ સમાધિનું અનાદિ-અનંત ફળ છે. | (છંદ-અનુષ્ટ્રપ) श्रुतेःशतगुणे विद्यान्मननं मननादपि । निदिध्यासं लक्षगुणमनन्तं निर्विकल्पकम् ॥३६५॥
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy