SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૧ 'सूक्ष्म परमात्मतत्त्वं न स्थूलदृष्ट्या प्रतिपत्तुमर्हति ।' પરમાત્મતત્ત્વને અનિર્વચનીય, અપ્રમેય અને વાચાતીત કહ્યું છે તેથી સ્પષ્ટ છે કે ચક્ષુ ઇન્દ્રિય કે જે સ્થળ પદાર્થ જુએ છે, તે આત્મતત્ત્વને ગ્રહણ કરી શકે નહીં. કારણ કે ચક્ષુ આદિ ઇન્દ્રિયો તો સાકારને ગ્રહણ કરી જાણી શકે છે. જ્યારે આત્મા તો નિરાકાર છે તેથી તેને જાણવા લિંગ નથી, કે જેને જોઈ, જાણી, આત્મા વિષે અનુમાન થઈ શકે. જેમ કે દેશ્ય ધુમાડાને જોઈ અદશ્ય અગ્નિનું અનુમાન થાય છે. તદુપરાંત, પરમાત્મતત્ત્વ વિશેષણ રહિત, નિર્વિશેષ, અદશ્ય, અવ્યક્ત, અગ્રાહ્ય હોવાથી વાચાતીત છે માટે પણ સાધનની મદદથી તે સાધ્ય નથી. તેથી જ કહેવાય છે કે “બ્રહ્મદર્શન તો સાધનનિરપેક્ષ શક્ય છે', તો સ્થૂળ દષ્ટિ પરમાત્મદર્શન માટે સાધન ન થઈ શકે તેવું અત્રે અપાયેલું વકતવ્ય અતિશયોક્તિ નથી. આમ હોવાથી, રખે કોઈ એમ સમજે કે પરમાત્મતત્ત્વ સૂક્ષ્માતિસૂક્ષ્મ હોવાથી અશેય અને અજ્ઞાત છે અને તેથી કોઈને પણ આત્મસાક્ષાત્કાર થઈ શકે જ નહીં. વાસ્તવિકતા તો તેથી વિરુદ્ધ છે. આત્મસાક્ષાત્કાર કે પરમાત્મતત્ત્વના દર્શન માટે એક પવિત્ર શરત છે કે કોઈ શુદ્ધ અને અતિ સૂક્ષ્મ બુદ્ધિવાળા હોય, તેઓ અવશ્ય સમાધિના સૂક્ષ્મ ચિંતન દ્વારા પરમાત્મતત્ત્વને જાણી શકે છે. માટે જ શ્રુતિએ કહ્યું છે કે “દૃશ્યતે તુ ચયા વુક્રયા સૂક્ષ્મયા સૂક્ષ્મમિઃ ” (કઠોપનિષદ-૧/૩/૧૨) “આ (પરમાત્મા) કેવળ સૂક્ષ્મ તત્ત્વોને જોનારા પુરુષાથી જ પોતાની તીવ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી જ જોઈ શકાય છે.” સૂક્ષ્મ બુદ્ધિ અર્થાત્ જે નામ અને આકારને બાદ કરી અંદરના આત્મતત્ત્વને જાણી શકે છે, જે ઉપાધિને ત્યાગી નિરુપાદિક બ્રહ્મને પકડી શકે છે, જે ચિત્તની વૃત્તિઓને નિવૃત્ત કરી, મનના સંદેહોને શમાવી, વિક્ષેપોને દૂર કરવાના સામર્થ્યવાળી હોય અને અવિરત, અખંડિત રીતે બ્રહ્મભાવમાં અભેદભાવ કરી, કીટભ્રમર ન્યાયે સ્વયં બ્રહ્મ થનારી હોય તેને જ સૂક્ષ્મ બુદ્ધિ કહેવામાં આવે છે; અર્થાત જે બુદ્ધિ દ્વારા બ્રહ્મચિંતન થાય તેમાં સ્વયં બુદ્ધિનું પણ અંતે વિસ્મરણ થઈ જાય છે. આમ, બુદ્ધિ પોતે જ પોતાને તરી જાય અને વિચારશૂન્ય કે અમના પરિસ્થિતિ ઉત્પન્ન થાય
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy