________________
૫૮૯
દ૨માં ન હોત તો કદાચ રંગબેરંગી પતંગિયું થઈને કયાંક ઊડતું હોત, કે અન્ય જંતુ રૂપે વિહાર કરતું હોત. કારણ કે ભમરી અને ઇયળની જાત જુદી છે. છતાં વિચાર માત્રથી, ધ્યાન માત્રથી, ભમરીની ભાવના ક૨વાથી જ ઇયળની જાત બદલાય છે અને જેવો ભાવ ઇયળમાં હોય છે તેવી જ અંતે તે થાય છે. મનુષ્યજીવનમાં પણ થોડા અંશે આવી ઘટના લોકવ્યવહારમાં જોવા મળે છે. નાની છોકરીઓ ઢીંગલી લઈને રમે છે, ઢીંગલીને તેડે છે, રમાડે છે અને જાણે પોતે ઢીંગલીની સારસંભાળ રાખનારી મોટી વ્યક્તિ હોય, તેવા ભાવથી છોકરીનું મન સભર બને છે. આમ, નાનપણથી માતા બનવાના કોડ સેવવાથી, કપડાં કે પ્લાસ્ટીકની ઢીંગલી તેડતાં તેડતાં અંતે તે એક દિવસ એ બાળકી પરણીને માતા થાય છે અને ઢીંગલીના બદલે પોતાના સંતાનોને તેડીને ફરવા માંડે છે.
ઉપરોક્ત ચર્ચાથી અત્રે સમજવાનું કે જેમ ભમરીનું ધ્યાન કરતાં કરતાં ઇયળ ભમરી બની જાય છે, તેવી જ રીતે ધ્યાન કે સમાધિની ઇચ્છાવાળો યોગી, અજ્ઞાનસમયે પોતાને જીવની ઉપાધિવાળો જીવાત્મા માનતો હોય છે. પોતે જન્મ-મરણ અને વિકા૨ને આધીન છે તેવું માનવા છતાં, જ્યારે તે એકનિષ્ઠાપૂર્વક સતસ્વરૂપ બ્રહ્મમાં અગર પરમાત્મામાં આસક્ત થાય છે ત્યારે ઇયળની જેમ બ્રહ્મનું કે પરમાત્માનું જ ધ્યાન કરતાં કરતાં સ્વયં બ્રહ્મમય કે પરમાત્મામય બની જાય છે. આમ, જીવાત્મા ઉપાધિવાળો કે કર્તા-ભોક્તાના ધર્મવાળો, અનેક યોનિઓમાં ભ્રમણ કરનારો, પરમાત્માથી જુદી જાતનો હોવા છતાં, જેમ ઇયળ ભમરી બને છે તેમ જ, બ્રહ્મનું ધ્યાન કરનારો જીવાત્મા કે યોગી સ્વયં બ્રહ્મ જ થઈ જાય છે. આમ, જે જેનું ધ્યાન કરે તે જ તે થઈ જાય છે. તેવા ન્યાયને શાસ્ત્રોમાં કીટ–ભ્રમરન્યાય કહેવામાં આવે છે.
કીટ-ભ્રમરન્યાયને ખૂબ સરળતાપૂર્વક સમજાવતાં
પૂ. રંગઅવધૂતજી જણાવે છે કે
હિર હિર ગાતાં રે, હરિજન હિર થયા;