________________
૫૮૮
ગહન સમસ્યાનો સરળ ઉકેલ આપ્યો છે. લોકવાયકા મુજબ એવું સાંભળવામાં આવ્યું છે કે કોયલ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકી આવે છે. ત્યારબાદ કાગડી તેને સેવે છે, મોટા કરે છે, પણ જ્યારે બચ્ચાં જન્મે છે ત્યારે તો કાગડાના જેવા જ કાળા રંગના હોય છે. એક દિવસ મોટા થતાં તે કોયલનો મધુર ટહુકો કરી ઊડી જાય છે. તેવું જ જીવજંતુમાં ભમરીના દૃષ્ટાંતમાં બને છે. ચોમાસામાં મકાનના ખૂણે ખાંચરે ભમરી, માટીનું દર બનાવે છે પણ તેને બંધ કરતાં પૂર્વે, કોઈ પણ જંતુના ઈંડામાંથી જન્મેલી ઇયળને, ભમરી ઊંચકીને તેણે બાંધેલા માટીના દરમાં લઈ આવે છે. ત્યા૨બાદ અતિ ઝડપે દરને પૂર્ણ કરવાનું કામ આરંભે છે અને માત્ર પોતાની સૂંઢ જાય તેટલું કાણું રાખે છે. પરંતુ દરની રચના એવી હોય છે કે ઇયળ બહાર નીકળી શકે નહીં. તેને બહાર નીકળતી અટકાવવા ભમરી, દરના કાણા દ્વારા ઇયળને હલકો ડંખ મારે છે. તેથી નાજુક ઇયળ અડધી બેહોશ બનીને પડી રહે છે. ત્યારબાદ ભમરી ખોરાકની શોધમાં જાય છે અને ખોરાક લાવી ઇયળને તે જ કાણા મારફતે ખોરાક પહોંચાડે છે. આવા નિત્ય ક્રમમાં ધીરે ધીરે ઇયળની વૃદ્ધિ થાય છે, પરંતુ નિત્ય નિરંતર ઇયળ ભમરીનો જ વિચાર કરે છે કારણ કે બહુ દૂરથી ભમરીનો ગણગણાટ કે ગુંજન ઇયળને સંભળાય છે તેથી ખોરાક મળશે તેવી ઉત્સુકતા વધે છે અને ખોરાક મળતાં તૃપ્તિ પણ થાય છે. પરંતુ દર છોડીને ભમરી જ્યારે દૂર જાય છે ત્યારે ઇયળને એક ડંખ મારતી જાય છે જેથી ઇયળ દ૨ છોડીને દૂર નાસી ન જાય. આમ, ડંખના દર્દથી અને ખોરાકની લાલચથી, હર પળે ઇયળ, ભમરીનું જ ચિંતન કર્યા કરે છે. હકીકતમાં આ ઇયળ કંઈ ભમરીના ઈંડામાંથી ઉત્પન્ન થયેલી હોતી નથી. જેમ કાગડાના માળામાં ઈંડું કાગડાનું નહીં પણ કોયલનું હોય છે, તેમ અન્ય કોઈ જંતુના ઈંડામાંથી જન્મેલી ઇયળને ભમરી પોતાના દરમાં કેદી બનાવે છે, ઉછેરે છે. કુદરતની કરામત કે સૃષ્ટિનો ચમત્કાર એવો અજબગજબનો છે કે ભમરી જે ઇયળ ઉછેરે છે, તે અંતે ભમરીનો જ વિચા૨, ભમરીના ગુંજનનું જ શ્રવણ અને ભમરીનું જ ધ્યાન કરતાં કરતાં ભમરી થઈને જ બહાર નીકળે છે. આમ, ઇયળે જેનું ધ્યાન કર્યું, જેનું ચિંતન કર્યું, તે ભમરી જ તે થઈ જાય છે. જો તે ઇયળ, ભમરીના