________________
૫૮૭
સ: નર: = (એકાગ્રતાથી) આસક્ત થયેલો પુરુષ સન્માવે યાતિ = સસ્વરૂપ બ્રહ્મભાવને પામે છે.
| (છંદ-ઉપજાતિ) क्रियान्तरासक्तिमपास्य कीटको
ध्यायन् यथाऽलिं ह्यलिभावमृच्छति । तथैव योगी परमात्मतत्त्वं
ध्यात्वा समायाति तदेकनिष्ठया ॥३६०॥ यथा
= જેવી રીતે कीटकः
= ઇયળ ઝિયાન્તર સ$િ Hપાસ્ય = બીજી ક્રિયાઓમાં આસક્તિ છોડીને अलिं ध्यायन् । = ભમરીનું જ ધ્યાન કરતાં કરતાં अलिभावं हि
= ભમરી જ ऋच्छति
= બની જાય છે. તા .
= તેવી જ રીતે योगी
= યોગી तदेकनिष्ठया = તે(પરમાત્મા)નું જ એકનિષ્ઠાથી - ध्यात्वा
= ધ્યાન કરતાં કરતાં પરમાત્મતત્ત્વ સમયતિ = પરમાત્મતત્ત્વને પામે છે.
હૃદયગ્રંથિના ભેદન માટે, ઇન્દ્રિયો અને અહંકારની નિવૃત્તિ માટે, તથા બંધનથી મુક્તિ માટે શ્રુતિએ ઉપદેશેલી સમાધિ આવશ્યક છે. તેવી વાત ચર્ચાઈ ગયા બાદ હવેના બે શ્લોકમાં સજાતીય વૃત્તિપ્રવાહ દ્વારા કે અખંડાકારવૃત્તિ દ્વારા બ્રહ્મભાવના કેવી રીતે કરવી તે સદષ્ટાંત સમજાવવામાં આવે છે.
ચોમાસાના પ્રારંભમાં, જીવજંતુઓમાં એક અજાયબ ઘટના જોવા મળે છે, જેનું ઋષિમુનિઓએ સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું છે. તે ઉપરથી તત્ત્વજ્ઞાનની