SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮૫ સાધ્ય કદાપિ નહીં. તેથી શાસ્ત્રનું પરોક્ષજ્ઞાન માહિતી છે, આત્માનુભૂતિ નહીં. (SCRIPTURAL KNOWLEDGE IS MERE INFORMATION AND NOT SELF REALIZATION.) માટે જ ઉપનિષદોને ગર્જના સાથે ઘોષણા કરવી પડી કે “ગાયમાત્મા પ્રવનેન ન” મુંડકોપનિષદ-૩/૨/૩] “આ પરબ્રહ્મ પરમાત્મા પ્રવચન કરવાથી મળે તેવો નથી.” શાસ્ત્રો દ્વારા સંપન્ન પરોક્ષજ્ઞાન ઉપર વાતો કે પ્રવચન કરવા અથવા પ્રવચનનું શ્રવણ કરવું તે બેશક શ્રેષ્ઠ સાધન હોઈ શકે, પણ સાધ્ય નથી. કારણ કે પ્રવચન કરવા કે તેનું શ્રવણ કરવાથી માત્ર પરોક્ષજ્ઞાન મળે છે. એવો પરોક્ષજ્ઞાની જો નિદિધ્યાસનરૂપી સમાધિનો અભ્યાસ ન કરે, તો તેવો ભવબંધનથી મુક્ત થઈ શકે નહીં કારણ કે માત્ર મુક્તિની વાતો કંઈ વાસ્તવિક મુક્તિ અપાવી શકે નહીં. જેમ કોઈ રોગી દવા અને ઉપચાર કે ચરી પાળવાની વાતો સાંભળીને કંઈ રોગ દૂર કરી શકે નહીં. તેણે તો દવા આરોગવી પડે, નિયમિત ઉપચાર કરવો પડે અને શિસ્તબદ્ધ ચરીનું પાલન કરવું પડે, તેવી જ રીતે માત્ર પરોક્ષજ્ઞાનની કથા સાંભળવાથી કે કથા કરવાથી વ્યર્થ પરિશ્રમ કે કથાથી વિપરીત થાક જ હસ્તગત થાય છે. તે જ પ્રમાણે પરોક્ષજ્ઞાનની વાતો કરનારાને મુક્તિથી વિપરીત બંધન જ પ્રાપ્ત થાય છે. માટે જ કહ્યું છે કે “જો પારોરાથમિધાચિનઃ” * (છંદ-ઉપજાતિ) उपाधिभेदात् स्वयमेव भिद्यते चोपाध्यपोहे स्वयमेव केवलः । तस्मादुपाधेर्विलयाय विद्वान् वसेत् सदाऽकल्पसमाधिनिष्ठया ॥३५८॥ उपाधिभेदात् = ઉપાધિના ભેદને કારણે જ स्वयं एव भिद्यते = આત્મામાં ભેદની પ્રતીતિ થાય છે ઉપાધ્યાદે ૨ = અને ઉપાધિ દૂર થતાં स्वयं एव केवलः પોતે જ કેવળ (શેષ) રહે છે.
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy