________________
૫૮૧
અસ્તિત્વ હોય છે. જ્યારે જ્ઞાનરૂપી દોરી ખેંચવામાં આવે ત્યારે આ હૃદયરૂપી ગ્રંથિ પણ ખુલી જાય છે, તેનું ભેદન થાય છે અને મોક્ષ અને મુક્તિનો, સત, ચિત અને આનંદના અલૌકિક અરંગી રંગવાળો અદેશ્ય ઝંડો ફરકવા માંડે છે. તે જ વાસના, અવિદ્યા, કર્મ ઉપર મેળવેલા વિજયની નિશાની છે; કામ, ક્રોધ અને લોભના સામ્રાજ્યને શિકસ્ત અપાયાનો સંકેત છે.
(છંદ-માલિની) त्वमहमिदमितीयं कल्पना बुद्धिदोषात्
प्रभवति परमात्मन्यद्वये निर्विशेषे । प्रविलसति समाधावस्य सर्वो विकल्पो
_ विलयनमुपगच्छेत् वस्तुतत्त्वावधृत्या ॥३५५॥ મક નિર્વિશેષે પરમાત્મા = અદ્વિતીય, નિર્વિશેષ, પરમાત્મામાં ત્વમ્-મહમ્મુ ' રૂતિ = “તું, હું, આ' વગેરે इयम् कल्पना
= આવી કલ્પનાઓ बुद्धि-दोषात्
= બુદ્ધિના દોષથી प्रभवति
= ઉદ્ભવે છે.
= તે(પુરુષ)ને समाधौ प्रविलसति = સમાધિમાં સ્ફરતા वस्तुतत्त्व-अवधृत्या = આત્મતત્ત્વનો નિશ્ચય થવાથી सर्वः विकल्पः
= સર્વ વિકલ્પો विलयनम्
= લય उपगच्छेत्
= પામે છે.
સમાધિ પૂર્વેના શ્લોકમાં સ્પષ્ટ કરેલું કે નિર્વિકલ્પ સમાધિમાં આત્મતત્ત્વના દર્શનથી હૃદયગ્રંથિ ખુલી જય છે. તે જ વિચારનો અત્રે વિસ્તાર જણાય છે. તું “હું “આ”, વગેરે કલ્પનાઓ બુદ્ધિદોષથી જન્મે છે અને તેથી ભેદમયદ્વૈતજગતનું દર્શન થાય છે. પરંતુ સમાધિમાં સ્થિત પુરુષને અદ્વિતીય, વિશેષણ રહિત