________________
૪ર
તેલ = તેના દ્વારા સમાદિતાત્મા = ચિત્તનું સમાધાન કરીને ૩પવિઝાર્થ = ઉપદેશાયેલા વિમુવ = મુક્તિ માટે
ઉપદેશથી પ્રયતેત = પ્રયત્ન કરવો.
જ્ઞાનપ્રાપ્તિના ઉપાય
1શાવા
કર્મથી, પ્રજોત્પત્તિથી કે ધનથી હજી સુધી કોઈ પણ મુક્ત થયું નથી. અમરતાનો એક માત્ર ઉપાય ત્યાગ છે અને ત્યાગ વડે જ કેટલાક લોકોએ અમૃતત્વ પ્રાપ્ત કર્યું છે. આવો સંદેશ કેવલ્યોપનિષદમાં, જગતરચયિતા બ્રહ્માજીએ, ઋષિ આશ્વલાયનને આપ્યો છે. न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः ।
(કેવલ્યોપનિષદ-૧/૩) કર્મથી નહીં, પ્રજાથી નહીં, ધનથી નહીં, કેટલાક ત્યાગ વડે જ અમરતાને પામ્યા છે.” મોક્ષ કે મુક્તિના અભિલાષીઓએ જીવતાં જ રચેલી પોતાની કબર જેવા, ધનના પિરામિડો ઊભા કરવાની જરૂર નથી, કારણ કે જડ-ધનથી ચેતન ખરીદી શકાય તેમ નથી. ધનના ઢગલાઓમાં પોતાને દાટવા કરતાં કોઈ ગુરુ પાસે જઈને જ્ઞાનની માગણી કરવી જોઈએ, મુક્તિનો માર્ગ પૂછવો જોઈએ અને તદનુસાર પ્રયત્ન કરવો જોઈએ.
ઉપનિષદોની દીવા જેવી સ્પષ્ટ વાતોને જાણવા છતાં, જો આપણને કોઈ, સંત-મહાત્માનું શરણ લેવાથી રોકતું હોય તો તે આપણો અહંકાર છે. આપણે જ્ઞાન તો પ્રાપ્ત કરવું છે પણ અહંકારને ઝુકાવવાની આપણી તૈયારી નથી. અહંકારને ઝુકાવ્યા વિના, ક્યારેય આત્મજ્ઞાન થઈ શકે તેમ નથી. આવા જ એક અહંકારી રાજાની વાત છે. આ રાજાના રાજ્યમાં અનેક વિદ્વાનો, પંડિતો નિવાસ કરતા હતાં. રાજાએ રાજયસભામાં, વિદ્વાન પંડિતોની જ નિમણૂંક કરેલી હોવાથી તેની સભા સર્વદા વિદ્વાનમંત્રીઓથી ભરેલી રહેતી. એકવાર રાજાએ પોતાના વિદ્વાન મંત્રીવર્ગ સમક્ષ પોતાની શંકા રજુ કરી, “આપ સૌ શાસ્ત્રના જ્ઞાતા વિદ્વાનો કહો છો કે ભગવાન સર્વત્ર