SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ થાય છે. તેથી જ કહ્યું છે કે “તમજુટ્ઠષ્ય ભવવત્થનાશ: આમ હોવાથી સ્પષ્ટ સમજાય છે કે મનની પ્રસાદરૂપી શુદ્ધિ માટે, તેની પ્રસન્નતા માટે, સંસારબંધનના નાશ માટે, પરમાત્માના સ્પષ્ટ દર્શન માટે અર્થાત અપરોક્ષ અનુભવ માટે, મુમુક્ષુએ બહારના સર્વ ભૌતિક પદાર્થોનું ચિંતન કે અનુસંધાન ત્યાગવું જોઈએ. આવો ત્યાગ જ મુક્તિનો અંતિમ અને ઇષ્ટ માર્ગ છે. તેવા ત્યાગમાં જ પરમપદની પ્રાપ્તિ સમાયેલી છે. (છંદ-ઉપજાતિ) : પડતઃ સન્ સવિરી श्रुतिप्रमाणः परमार्थदर्शी । जानन् हि कुर्यादसतोऽवलम्ब સ્વપતિદેતોઃ શિશુવન્મુમુક્ષુ રૂરૂછા. સ-મસ-વિવેવડી = સત-અસતનો વિવેકી श्रुतिप्रमाणः = શ્રુતિપ્રમાણને જાણનાર, परमार्थदर्शी = પરમાર્થદર્શી, મુમુક્ષુ = મોક્ષની ઇચ્છાવાળો (અને) ofષતઃ સન્ = પંડિત હોવા છતાં વ: ગાન હિ = કોણ જાણીબુઝીને શિશુવતું = બાળકની જેમ સ્વપતિદેતોઃ = પોતાના અધ:પતન જેવા મસતઃ મવતનમ્ = અસત(વિષયોનું) અવલંબન કરે! સત અને અસત, નિત્ય અને અનિત્ય, જડ અને ચેતન, આત્મા અને અનાત્મા જેવા દ્વન્દનો ભેદ જે કોઈ જાણે છે તે વિવેકી પુરુષ છે. તેવું જાણનારો કદી પણ અસત, અનિત્ય, જડ અને અનાત્મા જેવા કોઈ પણ પદાર્થોનું ચિંતન કરતો નથી. કારણ કે તેવા ચિંતનથી સંસારની પ્રાપ્તિ છે અને તેવા ચિંતનત્યાગમાં જ પરમાત્માનું સ્મરણ કે ચિંતન સમાયેલું છે.
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy