SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ बन्धहेतुम् असत् अनुसन्धिं विहाय स्वयं अयं अहं अस्मि इति आत्मदृष्ट्या एव तिष्ठेत् ननु स्वानुभूत्या ब्रह्मणि निष्ठा परं सुखयति प्रतीतं अविद्याकार्यदुःखम् हरति ૫૪૭ = સંસારબંધનના કારણરૂપ = = અસત પદાર્થોનું ચિંતન છોડી દઈને ‘હું પોતે આ (બ્રહ્મ) છું' એવી = આત્મદૃષ્ટિપૂર્વક રહેવું જોઈએ. ખરેખર, પોતાના અનુભવ વડે બ્રહ્મમાં થયેલી નિષ્ઠા = = પરમ સુખ આપે છે. (અને) પ્રતીત થતા અવિદ્યાના કાર્ય દુઃખનું હરણ કરે છે. = = બ્રહ્મચિંતનમાં તદ્રુપ કે તદાકાર થયેલો અચોર છે અર્થાત્ સજ્જન સાધુ છે. જ્યારે દશ્ય, મિથ્યા પદાર્થોનું તાદાત્મ્ય કરી અનાત્માને પોતાની સંપત્તિ બનાવનાર અને તેમાં અહંભાવ કે મમભાવ ઊભો કરનારો ચોર છે. માટે જ અત્રે જણાવ્યું છે કે મનનશીલ મુનિએ કે ઇન્દ્રિયોને જીતનાર યતિએ સંસારબંધનના કારણરૂપ અસત પદાર્થો, વિષયો કે દેહાદિનું અનુસંધાન, કે ચિંતન છોડી દેવું જોઈએ અને આચાર્યશ્રીએ ઉપદેશ્યું છે તેમ ‘સ્વયં અયં ગહંગસ્મિક કૃતિ' ‘હું પોતે જ બ્રહ્મ છું ' એવી બ્રહ્મમાં આત્મદૃષ્ટિ કરતા રહેવું જોઈએ, બ્રહ્મ સાથે અભેદાનુભૂતિ કરી બ્રહ્મીભૂત થઈ બ્રહ્મમાં જ અચ્યુત રહેવું જોઈએ. સ્વાનુભવ વડે બ્રહ્મમાં રહેલી અચળ નિષ્ઠા જ પરમસુખ પ્રદાન કરે છે. એટલું જ નહીં પરંતુ પ્રતીત થઈ રહેલા અવિદ્યાના કાર્યરૂપી વાસના, વિષયચિંતન વગેરે અને તેનાથી જન્મેલા દુ:ખોનું પણ હરણ કરે છે. , (છંદ-ઉપજાતિ) बाह्यानुसन्धिः परिवर्धयेत् फलं दुर्वासामेव ततस्ततो ऽधिकम् । ज्ञात्वा विवेकैः परिहृत्य बाह्य स्वात्मानुसन्धिं विदधीत नित्यम् ॥ २२५ ॥
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy