________________
પ૩૩
જગ્યાએ આવી ગયેલી હોય છે. તેના વાળમાં પણ લીલના રેસા ભરાયેલા હોય છે અને જયારે તે તળાવની બહાર નીકળે છે ત્યારે જુએ છે તો તેને માત્ર લીલ જ દેખાય છે. જે પાણીમાં તેણે ડૂબકી મારી હતી તે પાણી ઉપર ક્ષણવારમાં લીલનું આવરણ છવાઈ જાય છે. આમ, પાણીની હયાતી કે અસ્તિત્વ હોવા છતાં લીલના આવરણને લીધે પાણી દેખાતું નથી. માટે જ કહ્યું છે કે પાણી ઉપરથી દૂર કરેલી લીલ કે શેવાળ ક્ષણમાત્ર સુધી પણ પોતાની સ્થિતિમાં રહેતી નથી. “અપકૃષ્ટ શૈવાd સમાત્ર ન તિતિ !”
તે જ પ્રમાણે જો કોઈ પુરુષ જ્ઞાની હોય છતાં બર્ણિમુખ થયેલો હોય તો તેવો પુરુષ વારંવાર પ્રયત્ન કરીને લીલની જેમ માયાના આવરણને દૂર કરતો રહે છે. છતાં માયા દૂર રહેતી નથી. જેમ લીલ પાણીને આવરણ કરે છે તેમ માયા બહિંમુખ થયેલા જ્ઞાનીના આત્મસ્વરૂપને આચ્છાદિત કરી, ઢાંકી દઈ આવરણ ઊભું કરે છે અને ક્ષણવાર પણ બહિંમુખ થયેલા જ્ઞાનીથી દૂર જતી નથી. માટે જ કૃષ્ણ પરમાત્માને પણ ગીતાજીમાં કહેવું પડ્યું છે કે “માયાને તરવી અતિદુષ્કર છે.” “મમ માયા ઉરત્યયા” (ભ.ગીતા અ.૭/૧૪) પરંતુ, ભગવાન શ્રીકૃષ્ણ ગીતોપદેશમાં આગળ જણાવે છે કે ભલે માયાનું તારણ કે તેને પાર કરવી અગર તેના આવરણથી મુક્ત થવું દુષ્કર, કઠિન કે અઘરું હોય પરંતુ અશક્ય નથી. ભગવાન જણાવે છે કે “જે કોઈ મારા શરણે આવે છે તે માયાને તરી શકે છે.” “નામેવ કે પ્રપદ્યન્ત માયાબેતાં તાત્તિ તે .” (ભ.ગીતા અ. ૭/૧૪) આવી રીતે સ્વયં ભગવાને પણ માયાનું આવરણ દૂર કરવા માટે અર્જુન જેવા શિષ્યને પણ પોતાને શરણે જવા સંદેશ આપ્યો છે. તેથી સ્પષ્ટ છે કે મુમુક્ષુએ સ્મૃતિ અને શ્રુતિને શબ્દપ્રમાણ માની તેના ઉપદેશો તત્ત્વાર્થથી સમજવા, સદ્ગુરુને શરણે જઈ ગુરુકૃપા દ્વારા માયાને તરવાનો ઉપાય જાણી લેવો અને નિત્ય નિરંતર ઉપનિષદ કે વેદોના વાક્યોનું ચિંતન કરવું, તેના સાર્થક અર્થોનું બ્રહ્મભાવના દ્વારા મનન કરવું, તેમજ સ્મૃતિ કે શ્રુતિના સ્વાધ્યાયમાં અગર બ્રહ્મચિંતનમાં કદી પણ આળસ કે પ્રમાદ કરવો નહીં. “સ્વાધ્યાયપ્રવાનામ્યાં ન પ્રતિવ્યમ્ !”