________________
મળશે નહીં. आत्मैक्यबोधेन विना विमुक्तिः न सिध्यति ब्रह्मशतांतरेऽपि ।
બ્રહ્માના શાસનકાળની ગણતરી ઘણી લાંબી છે. તેની વિશદ વિચારણા, સ્વામી તદ્રુપાનંદજીના “અપરોક્ષાનુભૂતિ' પુસ્તકમાં શ્લોક નંબર-૧૧૧માં કરવામાં આવેલી છે. જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે તેટલા કાળપર્યત પણ હવન, પૂજા, પાઠ વગેરે કર્મો કરતા રહીશું તો પણ મોક્ષ પ્રાપ્ત થશે નહીં. કર્મ કરનારને “હું કર્મનો કર્તા છું' એવો કર્તાભાવ હોય છે. આ કર્તાભાવની ભ્રાંતિ જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી “હું અકર્તા છું' એવું સ્વરૂપનું જ્ઞાન થઈ શકશે નહીં. હવન કરીશું તો હું હવન કરનારો છું' જપ કરીશું તો હું જપ કરનારો છું', પૂજા કરીશું તો હું પૂજા કરનારો છું. આમ, કોઈ પણ કર્મ કરવાથી આ કર્તાભાવરૂપ અહંકારથી છૂટી શકાશે નહીં. અહંકારથી મુક્તિ જ મોક્ષ છે. માટે મોક્ષ, કર્મ દ્વારા પ્રાપ્ત થઈ શકે તેમ નથી. અજ્ઞાન જ જેનું કારણ છે તેવું બંધન, જ્ઞાન વિના દૂર થશે નહીં.
| (છંદ–અનુષ્ટ્રપ) . अमृतत्वस्य नाऽऽशास्ति वित्तेनेत्येव हि श्रुतिः ।
ब्रवीति कर्मणो मुक्तेरहेतुत्वं स्फुटं यतः ।।७।। થત: = કારણ કે દિ = પણ ૩મકતત્વસ્ય = અમરતાની કે મોક્ષની કર્મળ = કર્મ વિજોન = ભૌતિક ધનસંપત્તિથી મુક્ત = મુક્તિનું માશા = આશા
મહેતુત્વમ્ = કારણ નથી (એમ) જ પ્તિ = નથી
છુરમ્ = સ્પષ્ટપણે રૂતિ વ = એમ જ (એવું જ) રવીતિ = પ્રતિપાદન કરે છે. કુતિઃ = ઉપનિષદ
ધનથી અમરતાની આશા ન રાખી શકાય. અમરતા એટલે જ આત્મસાક્ષાત્કાર, અપરોક્ષાનુભૂતિ, પોતાના સ્વરૂપનું જ્ઞાન, બંધનથી છૂટકારો,