________________
પરમાત્માની જ પૂજા કરીએ છીએ. આપણે મૂર્તિની પૂજા અવશ્ય કરીએ છીએ પણ આપણે મૂર્તિપૂજક નથી, કારણ કે પરમાત્મા નિરાકાર છે.
જે જે સાકાર વસ્તુ હોય તે એક જ સ્થળમાં હોય છે જેમ આ શરીર એક જ સ્થળમાં છે. સાકાર શરીર એક જ સમયે મુંબઈમાં હોય અને અમદાવાદમાં પણ હોય તેવું કદાપિ બની શકે નહીં. આપણે જેની ઉપાસના કરીએ છીએ તે પરમાત્મા સાકાર હોય તો, પરમાત્મા પણ શરીરની જેમ એક જ સ્થળમાં હોવા જોઈએ. પરંતુ એવું નથી કારણ કે આપણા દેશમાં અગણિત મંદિરો છે અને તેમાં અસંખ્ય મૂર્તિઓ છે. જો પરમાત્મા સાકાર હોય તો અનેક સ્થળે આવેલાં અનેક મંદિરોમાં અને અનેક મૂર્તિઓમાં કઈ રીતે હોઈ શકે? પરમાત્માના અનેક મંદિરો અને અનેક મૂર્તિઓ હોવાથી જ એવું સિદ્ધ થાય છે કે પરમાત્મા નિરાકાર છે. જેમ આકાશ નિરાકાર હોવાથી જ હજારો ઘડાઓમાં એક સમયે રહી શકે છે તેમ પરમાત્મા નિરાકાર છે માટે જ અનેક મૂર્તિઓમાં એક સમયે રહી શકે છે. ગીતાકાર શ્રીકૃષ્ણ ભગવાને પણ આ વિષયમાં સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે “મા તમિદં સર્વ ગાદિત્યવતમૂર્તિના”
(ભગવદ્ગીતા-૯/૪) “હું અવ્યક્તમૂર્તિ સ્વરૂપ છું, મારા વડે સર્વ સચરાચર જગત વ્યાપ્ત છે.” શ્રીકૃષ્ણ ભગવાનના શબ્દો ન સમજાયા, સંતોનો ઉપદેશ પણ ન સમજાયો, અને શાસ્ત્રના સંકેતો પણ ન પકડાયા. માટે જ આપણે ભ્રાંતિમાં જીવી રહ્યા છીએ. શાસ્ત્ર અને સંતોએ મૂર્તિપૂજાનો વિરોધ નથી કર્યો, પણ તેની મર્યાદા સમજાવતાં કહ્યું છે કે મૂર્તિપૂજા મૂર્તમાંથી અમૂર્તમાં જવાનું સાધન માત્ર છે, તે કંઈ સાધ્ય નથી પરંતુ વિવેકની અપરિપક્વતાને કારણે જ આવું સત્ય તથ્ય લોકોને સમજાયું નથી.”
પ્રકરણ ગ્રંથના અભ્યાસ માટે તત્પર થયેલા સાધકને શંકરાચાર્યજી સ્પષ્ટતાપૂર્વક જણાવવા માગે છે કે, જો જીવ અને બ્રહ્મ એક છે એવું જ્ઞાન પ્રાપ્ત નહીં થાય તો સો બ્રહ્માના શાસનકાળપર્યત પ્રયત્ન કરવા છતાં પણ મુક્તિ