SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૫ તે સુકાઈ ગયેલું વૃક્ષ કે છોડ પુનઃ નવપલ્લવિત થાય છે તેમ અહંકાર પણ વિષયચિંતનરૂપી જળ દ્વારા પુનર્જીવિત થાય છે. માટે વિષયચિંતનથી સાવધાન રહેવું અને આત્મવિસ્મરણથી બચવું જોઈએ. આ જ સમગ્ર અહંકારવિવેચનનો નિષ્કર્ષ છે. માટે જ અહંકારને સંસારનું મૂળ કહેવામાં આવે છે તથા તેની આત્યંતિક નિવૃત્તિને જ સંસારબંધથી મુક્તિ કહેવાય છે. | (છંદ-ઉપજાતિ) देहात्मना संस्थित एव कामी विलक्षणः कामयिता कथं स्यात् । अतोऽर्थसंधानपरत्वमेव भेदप्रसक्त्या भवबन्धहेतुः ॥३१२॥ ‘હાત્મના સંસ્થિતઃ પર્વ- દેહને વં ચત્ - કેવી રીતે થાય? આત્મા સમજનાર જ મતઃ = એટલા માટે कामी = કામી છે મેવાસા = ભેદબુદ્ધિથી વિક્ષ: = તેનાથી જુદો (એટલે અર્થસંધાનપરત્વ વ = વિષયોના દેહને આત્માથી જુદો સમજનાર) ચિંતનમાં પ્રવૃત્તિ જ જામયિતા = કામના કરનારો મવવન્યદેતુર = બંધનનું કારણ છે. - કર્મ, વાસના અને વિષયત્યાગ જે કોઈ પુરુષ દેહને જ આત્મા માનતો હોય, તેને જ વિષયોમાં કામના જાગે છે અને માટે જ તે વિષય-વાસનાવાળો કામી પુરુષ છે. પણ જે દેહાત્મબુદ્ધિવાળો નથી અર્થાત્ કામી પુરુષથી વિલક્ષણ છે, તેને દેહ સાથે સંબંધ જ નથી તો વિષયોની કામના કેવી? આત્માથી બીજું કે અન્ય છે એવી જેની દ્વૈત કે ભેદ બુદ્ધિ છે તે જ વિષયોનું ચિંતન કરે છે. તેવું વિષયચિંતન જ કામી પુરુષ પાસે વિષ#ભોગ પ્રાપ્તિ માટે ક્રિયા કે કર્મ કરાવે છે. આવા કર્મો દ્વારા જ્યારે વિષયભોગ પ્રાપ્ત થતાં નથી અને નિષ્ફળતા જણાય છે ત્યારે વિક્ષેપ ઊભો થાય છે. આવા વિક્ષેપથી ક્રોધ કે આવેગ જન્મે છે, મનની
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy