________________
કરતાં સમજાવવામાં આવે છે કે જેમ ઘટાકાશ મહાકાશથી ભિન્ન નથી તેમ જીવ બ્રહ્મથી જુદો નથી. એટલું જ નહીં, પરંતુ મૂળસ્વરૂપે તો જીવ જ બ્રહ્મ છે અને એવો પરબ્રહ્મ સ્વયંપ્રકાશ છે, દેહ અર્થાત્ પિંડ અને બ્રહ્માંડનું અધિષ્ઠાન છે. તેવું અધિષ્ઠાન બ્રહ્મ, હે મુમુક્ષુ! તું પોતે જ છે, માટે સદા બ્રહ્મરૂપે જ તને જાણીને નિશ્ચય કર કે પિંડ અને બ્રહ્માંડ અર્થાત્ દેહ અને જગત તો તારા અધિષ્ઠાન બ્રહ્મ ઉપર આરોપ માત્ર છે, મિથ્યા અને અનિત્ય છે, વિનાશી અને અસત છે. અરે! પિંડ કે શરીર તો મળમૂત્ર અને વિષ્ટાથી ભરેલું ચામડાંનું પોટલું છે. માટે વિવેકપૂર્વક વિચા૨ ક૨ી જીવ અને જગતને, વ્યષ્ટિ અને સમષ્ટિને કે પિંડ અને બ્રહ્માંડને મળમૂત્રથી ભરેલા માટીના માટલા જેમ સમજી ફંગોળી દે અને તે તરફ કદી મોહર્દષ્ટિ કરીશ નહીં. બ્રહ્મરૂપે તો તું સ્વયં પ્રકાશસ્વરૂપ છે, પવિત્ર છે, સર્વાશ્રય છે. માટે દેહ અને જગતને કચરાનો ટોપલો સમજી, જ્ઞાનની એક લાત મારી તેનાથી દૂર થા. તેમાં આસક્તિ, રાગ કે ભોગનો નાશ કર. આવા જ્ઞાનની ખુમારીવાળા ઉપદેશથી શિષ્યને અલંકૃત ક૨વામાં જ આદિ શંકરાચાર્યજીની જ્ઞાનનિષ્ઠા અને મહાનતાના અત્રે દર્શન થાય છે.
(છંદ–અનુષ્ટુપ) चिदात्मनि सदानन्दे देहारूढमहंधियम् ।
निवेश्य लिङ्गमुत्सृज्य केवलो भव सर्वदा ॥२६१||
देहारूढमहंधियम्
सदानन्दे
चिदात्मनि
निवेश्य
लिङ्गम्
उत्सृज्य
सर्वदा
केवलो भव
=
=
=
=
૪૮૯
=
=
દેહમાં આરૂઢ થયેલી ‘હું’ પણાની બુદ્ધિને
નિત્ય આનંદ સ્વરૂપ
ચિદાત્મામાં
સ્થિત કરીને
સૂક્ષ્મ શરીરનો
= ત્યાગ કરી
હંમેશાં
= કૈવલ્યસ્વરૂપ (બ્રહ્મસ્વરૂપ) થા.