________________
૪૮૨
- તે આત્મા ઉપર જ એક નિષ્ઠા સ્થિર કરીને
तत् एक निष्ठया નિત્યં સ્વાધ્યાતાપનયં કુરુ = નિરંતર પોતાના અધ્યાસને દૂર કર.
જ
મનનશીલ મુનિને સર્વાત્મબુદ્ધિ હસ્તગત હોવાથી તેને સ્વાત્માથી ભિન્ન કે અન્ય કંઈ જણાતું નથી. તેથી તેના એક, અદ્વિતીય અને અભેદ સ્વરૂપમાં તે ત્યાગ કરે કોનો? જો તેને દ્વૈતદર્શન શક્ય હોય અગર તે સાપેક્ષતામાં જીવતો હોય તો તો અન્યનો ત્યાગ શક્ય બને, અગર જો તેને બંધનું ભાન રહેતું હોય તો જેના માટે દ્વેષ હોય તેનો ત્યાગ કરે અને રાગ હોય તેનો સ્વીકાર કરે. પણ અભેદ અને એકત્વનું દર્શન ક૨ના૨ મુનિ તો નિર્હ છે તેથી તેની જ્ઞાનદૃષ્ટિમાં કેવું ગ્રહણ કે કેવો ત્યાગ? જ્ઞાનીને કે મનનશીલને વાસનાક્ષય થયો હોવાથી તેને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત ક૨વાની કે ગ્રહણ કરવાની અપેક્ષા કે આકાંક્ષા હોતી નથી. તે જ ન્યાયે જગતના સર્વ પદાર્થોના મિથ્યાત્વને, અનિત્યત્વને, અલ્પજ્ઞત્વને જાણી ચૂકેલો હોવાથી તેવા ભૌતિક પદાર્થો કે નાશવાન ભૂતો માટે તેને આસક્તિ પણ હોઈ શકે નહીં. આમ, આસક્તિમુક્ત જ્ઞાની, સમગ્ર પિંડ અને બ્રહ્માંડને સ્વપ્નવત સમજે છે. તેથી સ્વપ્નના ભ્રાંત પ્રાણી, પદાર્થો કે કલ્પિત સંપત્તિ કે વિપત્તિનો સ્વીકાર કે ત્યાગ કરવામાં તેને લેશમાત્ર અપેક્ષા કે ચિંતા રહેતી નથી. જાગ્રત અવસ્થામાં આવ્યા બાદ, કોઈ મૂર્ખ કે અવિવેકી જ સ્વપ્નના પાત્રોને ગ્રહણ કરવાની અપેક્ષા રાખી શકે કે સ્વપ્નની વિપત્તિ કે આફતનો ત્યાગ ઇચ્છી શકે. આત્મજ્ઞાનીને ગ્રહણ કે ત્યાગ જેવું કંઈ જ ન હોવાથી તેને નથી કોઈ ક્રિયા પ્રાપ્તિ માટે અને તે જ ન્યાયે નથી કોઈ કર્મ ત્યાગ માટે. માટે જ આત્મસ્વરૂપે જ્ઞાની અક્રિય છે, નિષ્ક્રિય છે, નૈષ્કર્મસિદ્ધિને સંપન્ન છે. તે તો ક્રિયાનો, કર્મનો, ફળ કે ભોગનો અસંગ સાક્ષી છે. તેથી શ૨ી૨પાતને અંતે પ્રાણોના ઉત્ક્રમણ જેવી ક્રિયાથી પણ તે મુક્ત છે. માટે જ શ્રુતિ કહે છે કે ન તસ્ય પ્રાળા પાનન્તિ દ્રૌવ સન્ બ્રહ્માવ્યેતિ' [બૃહદારણ્યક શ્રુતિ-૪/૪/૬] નિષ્કર્ષમાં આત્મજ્ઞાની મુનિ ગ્રહણ અને ત્યાગ જેવી સર્વ ક્રિયાઓને છોડી દેહાદિમાં અહંભાવ કે મમભાવ રાખતો નથી માટે તે નિષ્ક્રિય છે. આમ હોવાથી તું પણ આત્મામાં એકનિષ્ઠાવાળો થઈ હંમેશા તારા અધ્યાસને દૂર કરવા પ્રયત્ન કર.