________________
૪૬૪
સમજે છે તેવો આત્મચિંતન છોડી દેહની વાસના પ્રમાણે, દેહની માંગણી મુજબ જીવનભર દેહના પોષણ માટે, તેના સુખભોગ માટે જ વર્તન કર્યા કરે છે અને દેહની સુખાકારી માટે દોડાદોડ કરનારો જાણતો પણ નથી કે
ખીલા પીલા કે દેહ બઢાયા વો ભી અગન જલાના હે.” આમ, જીવનપર્યંતનો શરીર પાછળનો પુરુષાર્થ તો અંતે રખ્યા મેળવવાનો જ કહેવાય. તેથી વિવેકીએ સમજવું કે દેહની માગણીઓ કે વાસનાઓને અનુસરીને વર્તન કરવું નહીં પરંતુ દેહને દશ્ય, શેય, જડ, વિનાશી, ક્ષેત્ર કે સાક્ષ્ય માની પોતે સૌનો સાક્ષી છે, સૌથી ભિન્ન અને અક્રિય છે એમ સમજવું. તેણે દેહના ભોગ માટેનું વર્તન છોડી, દેહની અંદર રહેલા અંતરાત્મા કે ઈશ્વરનું જ ચિંતન કરવું જોઈએ કે જેથી કીટ-ભ્રમરન્યાયે આત્મચિંતન કરી તે અંતે આત્મસ્વરૂપ થઈ શકે અને દેહ પાછળની આંધળી ક્રિયા છોડી શકે. માટે જ કહ્યું છે કે “હાનુવર્તન ત્યવત્તા ” આ સંદર્ભે સૌ મુમુક્ષુએ નિત્ય પોતાને પ્રશ્ન પૂછતા રહેવું કે દેહ અને ઇન્દ્રિયોના ભોગ માટે આપણે જેટલો સમય ખરચીએ છીએ, તેટલો સમય શું આપણે આપણાં મોક્ષ કે મુક્તિ માટે ખરચીએ છીએ ખરાં? દેહના રોગ દૂર કરવા માટે આપણે જેટલી ચિંતા કરીએ છીએ તેટલી ચિંતા શું આપણે સંસારરૂપી રોગને અગર બંધન જેવા દર્દને દૂર કરવા કરીએ છીએ ખરાં? દેહની સુરક્ષા માટે આપણે જેટલા સાધનો વસાવ્યાં છે તેટલા કે તેનાથી અડધા સાધનો પણ શું આપણે આત્મજ્ઞાનના અધિકારી થવા માટે વસાવ્યાં છે ખરાં? શું વિવેક, વૈરાગ્ય, સંપત્તિ કે મુમુક્ષુત્વ જેવા સાધનો વગર જ્ઞાન મેળવી શકીશું ખરાં? દેહને પુષ્ટ કરવા માટે જેટલું ધન આપણે ખરચીએ છીએ તેટલું કે તેનાથી અડધું ધન પણ શું આપણે ચિત્તની શુદ્ધિ માટે, અહંકારની મુક્તિ માટે, મમત્વથી છૂટવા માટે કે વૈરાગ્યની પ્રાપ્તિ માટે વાપર્યું છે ખરું? અરે! જ્યારે આપણાં સગાં સંબંધીઓ, સ્નેહી કે મિત્રો બીમાર થઈ ખાટલે પડયા હોય છે ત્યારે આપણે જેટલા દુઃખી થઈએ છીએ, જેટલો ભય અનુભવીએ છીએ, જેટલો શ્રમ કરી ઑપરેશન થિયેટરની બહાર ખડે પગે રાહ જોઈએ છીએ કે હૉસ્પિટલના વારંવાર આંટાફેરા કરીએ છીએ, દર્દી થયેલા સ્નેહી કે મિત્રની સુખાકારી માટે નિશદિન ચિંતા કરીએ છીએ તેના જેટલી કે તેથી