________________
૩૦
એટલે ફળ અવશ્ય મળે અને કર્મનો કર્તા ફળથી કદાપિ છૂટી શકે નહીં. જો કર્મનું ફળ આ જન્મે ન મળે તો કર્મફળની પ્રબળ વાસના બીજું શ૨ી૨ ધા૨ણ કરવા પ્રેરે છે. નેવું વર્ષની ઉંમરે પહોંચેલું શરીર, અમુક કર્મફળ ભોગવવામાં સાથ આપી શકે તેમ ન હોય, તો તે કર્મફળનો ભોગ કરવા બીજું શ૨ી૨ ધા૨ણ કરવાની ફરજ પડે છે. નવા યુવાન શરીરને પ્રાપ્ત કરવા માટે આ વૃદ્ધ શ૨ી૨ છોડીને, બીજું શરીર ધારણ કરવું પડે છે. અનેક પ્રકારના કર્મોના ફળ ભોગવવા, વારંવા૨ શરીર ધા૨ણ ક૨વું પડે છે અને છોડવું પડે છે, અર્થાત્ જન્મવું પડે અને મરવું પડે છે. આમ, મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્ન ન કરનાર વારંવાર પોતાની જાતને મૃત્યુના મુખમાં ધકેલી રહ્યો છે માટે તેને ‘બાભા’અર્થાત્ . પોતાને જ હણનારો કહ્યો છે.
અન્ય અભિગમથી વિચાર કરતાં, એક બીજો અર્થ અભિપ્રેત થાય છે. જ્યાં સુધી જ્ઞાન ન થાય કે હું સચ્ચિદાનંદ આત્મા છું ત્યાં સુધી અજ્ઞાનમાં આપણે પોતાને શ૨ી૨ માનીએ છીએ. શરીર ચેતન નથી પરંતુ જડ છે. શ૨ી૨ની જડતા સૌ કોઈ જાણે છે કારણકે પ્રાણ(જીવ) નીકળી ગયા પછી નિશ્ચેષ્ટ થયેલાં શરીરો બધાએ જોયા છે. જે જડ હોય તે કદી જીવિત ન હોઈ શકે. જેમ ટેબલ, ખુરશી, આદિ જડ છે માટે સદા મરેલાં જ છે તેમ જો શરીર જડ છે તો સદા મરેલું જ કહેવાય. જે ક્ષણે આપણે નિર્ણય કર્યો કે હું શરીર છું તે જ ક્ષણે આપણે જડ થયા અને આપણે આપણી જાતને મરેલી જાહેર કરી. આપણે ચેતન હોવા છતાં, જડ અને મરેલા દેહને ‘હું’ માન્યું એટલે આપણે આપણું હનન કર્યું કહેવાય.શરીરને માર્યા વિના પણ પોતાને મૃતદેહ માનવું એ આપણે આપણી કરેલી આત્મહત્યા જ છે.
જ
અત્રે સમજવાનું છે કે જે કોઈ આ મિથ્યા જગતમાં, જુઠા જગતમાં આસક્ત બનીને, જડ અને અસત પદાર્થો દ્વારા ભોગ ભોગવીને, ‘ હું શરીર છું’ એવી ભાવના દ્વારા જીવવાનો પ્રયત્ન કરે છે એવા સૌ આત્મહત્યા કરનારા છે. પરંતુ જેઓ શ૨ી૨ને સ્વયંથી અન્ય માને છે અને પોતાને કર્મના બંધનમાંથી છોડાવવાનો પ્રયાસ કરે છે તેઓ જ ખરેખર પોતાનો ઉધ્ધા૨ ક૨ે છે. મનુષ્યજન્મ