SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ તેથી બ્રહ્મભાવનામાં નિમગ્ન થનારો સતત બ્રહ્મભાવે વિચારે છે કે હું વાસ્તવમાં નથી કોઈનો આધાર કે આશ્રયદાતા. કારણ કે જગત જેવું જે કંઈ દશ્ય છે તે તો કલ્પિત કે ભ્રાંતિજન્યનો. આધાર ભ્રાંતિકાળે જ હોય. હું તો નિર્દાત્ત છું, મારા શુદ્ધ સ્વરૂપમાં નથી ભ્રાંતિ કે નથી જગત. તો મારે જગતનાશની અપેક્ષા કયાં કે ભવબંધન તોડવાની આકાંક્ષા કેવી? નથી મારે ભવસાગર કે તેથી તરણનો હું પુરુષાર્થ કરું. મારે માટે નથી કંઈ સત કે વ્યક્ત જેને પકડું, નથી કંઈ અસત કે અવ્યક્ત જેવું, જેને હું છોડી શકું. આમ, હું તો અવયવ વગરનો, ઉપમા ન આપી શકાય તેવો, સકળ સમૃદ્ધિસભર, ગ્રહણ અને ત્યાગથી પર છું. મુજ એક અને અદ્વિતીય . બ્રહ્મમાં કેવું ગ્રહણ કે કોનો ત્યાગ? મુજ અખંડ, અસંગ બ્રહ્મમાં નથી કંઈ . જડ કે વિનાશી કે જેને ત્યાગી શકું, નથી ચેતન જીવ કે જેને પકડી શકું. હું આવાગમનથી મુક્ત, બંધ મોક્ષથી ન્યારો, નિત્યમુક્ત, નિરપેક્ષ બ્રહ્મ છું. | (છંદ-રથોદ્ધતા) जन्मवृद्धिपरिणत्यपक्षय ___ व्याधिनाशनविहीनमव्ययम् । विश्वसृष्ट्यवनघातकारणं ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥२५६॥ જન્મ-વૃદ્ધિ-રિતિ–-માલય- = (જે) જન્મવું, વધવું, બદલાવું, ક્ષય પામવું, व्याधि-नाशनविहीनम् = રોગી થવું અને મૃત્યુ પામવું આ છ વિકારોથી રહિત, अव्ययम् = અવિનાશી વિશ્વ-સૃષ્ટિ-કવન-ધાતારમ્ = જગતની ઉત્પત્તિ, રક્ષણ તથા નાશનું કારણ = બ્રહ્મ (છે.) ब्रह्म
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy