________________
૪૪૨
છે, બ્રહ્મ કે આત્માના નહીં. માટે જાતિ, કુળ કે ગોત્રનું ચિંતન છોડી, અજન્મા અને અવિનાશી બ્રહ્મને જાતિ, કુળ કે ગોત્રના ધર્મથી અસંગ જાણી તેનો જ વિચાર કરવો ઇષ્ટ છે. તે જ પ્રમાણે શુદ્ધ બ્રહ્મમાં નામ, આકાર કે ગુણદોષ છે જ નહીં. જેમ નામરૂપાદિ આરોપ છે તેમ ગુણ અને દોષ સૂક્ષ્મ શરીર પર આરોપ છે. જ્યારે બ્રહ્મતત્ત્વ તો ધૂળ, સૂક્ષ્મ અને કારણશરીરથી વિલક્ષણ હોય છે. શરીરના ધર્મો પણ બ્રહ્મતત્ત્વને સ્પર્શતા નથી. ઉપરાંત બ્રહ્મતત્ત્વ તો દેશની સીમાઓથી પર હોઈ સર્વવ્યાપ્ત છે, કાળની કેદથી મુક્ત હોઈ કાળાતીત છે, વિષયભેદ અને આસક્તિરહિત હોઈ અભેદ અને અસંગ છે. માટે બ્રહ્મવિચારણામાં દેશ, કાળ, વસ્તુ કે વિષયની પરિચ્છિન્નતાનો ત્યાગ કરી નિત્ય, નિરંતર અભેદભાવે અખંડાકારવૃત્તિ દ્વારા વિચાર કર કે જે બ્રહ્મ જાતિ, નીતિ, કુળ, ગોત્ર, નામ, રૂપ, ગુણ, દોષ તથા દેશ, કાળ અને વિષયથી વિલક્ષણ, ન્યારું અને ભિન્ન છે; તે અનાદિ, અનંત બ્રહ્મ તું જ છે. આવા ઉપદેશનો સંકેત સમજી મુમુક્ષુએ બ્રહ્મભાવના કરતી વખતે તૈલધારાવત વિચારવું કે “કુળ, ગોત્ર કે જાતિનું નામ, રૂપ કે ગુણ તથા દેશ, કાળ ઇત્યાદિથી અસંગ બ્રહ્મ હું જ છું. “બ્રહ્મ કદમમિ તિ' અને હું બ્રહ્મ જ છું, તેથી અન્ય કંઈ જ નથી.”
(છંદ-રથોદ્ધતા) यत् परं सकलवागगोचरं
ગોવર વિમરવો પુષઃ | शुद्धचिद्घनमनादि वस्तु यद्
ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥२५६॥
यत्परम् सकल-वाक्-अगोचरम् વિમત–વોઘવપુષ: ગોવરમ્
= જે (પ્રકૃતિથી) પર = બધી વાણીથી અગોચર હોવા છતાં) = નિર્મલ જ્ઞાનચક્ષુથી જાણી શકાય છે.