SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૩ લક્ષણા દ્વારા ગ્રહણ કરવો યોગ્ય છે. તત્ત્વમસિ” મહાવાક્યના ઉપદેશ દ્વારા તત્ત્વાર્થે આપણે બોધ તો એવો જ લેવાનો કે તત્ એટલે તે શુદ્ધબ્રહ્મ, ઉપાધિનો ત્યાગ થતાં ‘હું જ છું અથવા તપદાર્થના લાર્થના ગ્રહણમાં, ઉપાધિ ત્યજાતા તે શુદ્ધ બ્રહ્મ “હું જ છું અને નિરુપાષિક “જ ‘તત અર્થાત્ તે શુદ્ધ બ્રહ્મ છું. આવા દઢ અપરોક્ષજ્ઞાનથી જ સર્વદુઃખની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિરૂપી મોક્ષ પ્રાપ્ત થાય છે. (છંદ-ઉપજાતિ) संलक्ष्य चिन्मात्रतया सदात्मनो रखण्डभावः परिचीयते बुधैः । एवं महावाक्यशतेन कथ्यते - ब्रह्मात्मनोरैक्यमखण्डभावः ॥२५१॥ યુઃ = બુદ્ધિમાનો દ્વારા સંત = લક્ષણાએ કરીને સાત્મનોઃ = જીવાત્મા અને મહીવાવર્તન સેંકડો મહાવાક્યોથી - પરમાત્માનો હત્મિનોઃ = જીવ-બ્રહ્મની વિન્માત્રતયા = ચૈતન્યમાત્ર સ્વરૂપે દેવયમ્ = એકતા (અને) વાદમાવઃ = અખંડભાવ - ગવ માવઃ = અખંડભાવ પરિવાયતે = જાણવામાં આવે છે.થ્થતે = કહેવામાં વિમ્ = એ જ પ્રમાણે આવ્યો છે. | ‘તત્ત્વમસિ' મહાવાક્યની તાત્ત્વિક અને વિચક્ષણ વિચારણા બાદ હવે સમજાવવામાં આવે છે કે આવી વિચારણા શાસ્ત્રસંમત છે, તેથી તેની પ્રામાણિકતા શાસ્ત્ર સંદર્ભે સ્વીકારવા યોગ્ય છે. “તત્ત્વમસિ” જેવા મહાવાક્યમાં લક્ષણા નામની શબ્દશક્તિથી જીવાત્મા અને પરમાત્માને માત્ર ચૈતન્ય સ્વરૂપ જાણીને જ્ઞાનીઓ સમજે છે કે જીવ અને બ્રહ્મ બન્ને એક અને અખંડ છે. આવો મહાવાક્યગત લક્ષ્યાર્થ અન્ય સેંકડો વાક્યોથી સૂચવાય
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy