SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ બ્રહ્મસ્વરૂપના નિરૂપણનો વિસ્તાર કરતાં જણાવાયું છે કે નિરસ્તમાયાવૃતસર્વમેવમ્ (બ્રહ્મ) (માયછિત સર્વમેઢઃ નિરસ્તઃ સ્મનું તત) . બ્રહ્મતત્ત્વ ઉપર જણાવ્યું તેમ એક અને અદ્વિતીય છે. તેથી સ્પષ્ટ થાય છે કે એક અને અદ્વિતીયમાં કોઈ ભેદ હોઈ શકે નહીં. તેની જ સ્પષ્ટતા કરવા અત્રે જણાવ્યું છે કે માયા દ્વારા ઉત્પન્ન થયેલા જીવ અને ઈશ્વર જેવા ઉપાધિભેદનો તેમજ જગતરૂપી કાર્ય અને ઈશ્વર જેવા કારણના ભેદનો પણ બ્રહ્મમાં નાશ, બાધ કે લય થાય છે. માટે અત્રે સ્પષ્ટ કર્યું છે કે માયકલ્પિત ભેદની જેમાં નિવૃત્તિ થયેલી છે તે જ બ્રહ્મતત્ત્વ છે. नित्यम् ब्रह्म બ્રહ્મ તો અનાદિ અને અનંત હોવાથી શાશ્વત છે. દેશ અને કાળથી મુક્ત હોવાથી તે નિત્ય છે અર્થાત્ સર્વમાં સર્વ કાળે વિકાર કે પરિવર્તન વગર રહેતું હોવાથી તથા ઉપાધિનાશે નિરુપાધિક બ્રહ્મનો નાશ ન થતો હોવાથી તેને નિત્ય બ્રહ્મ કહેવાય છે. सुखम् ब्रह्म બ્રહ્મ સુખસ્વરૂપ છે અર્થાત્ બ્રહ્મતત્ત્વ સ્વરૂપમાં તો ઇન્દ્રિય, મન કે બુદ્ધિથી પ્રાપ્ત ન થાય તેવું અતીન્દ્રિયસુખરૂપ છે. વિષયસુખની જેમ તે આવવા-જવાવાળું કે આદિ-અંતવાળુ નથી. માટે જ તેવા શાશ્વત નિત્યસુખમાં જ જ્ઞાનીઓ રમણ કરે છે, પરંતુ પ્રારંભ અને નાશવાળા કે આદિ-અંતવાળા વિષયજન્ય સુખમાં જ્ઞાનીઓ રમણ કરતા નથી. निष्कलमप्रमेयम् ब्रह्म બ્રહ્મતત્ત્વ નિત્તમ છે અર્થાત અવયવરહિત છે. તેને સહજ, સ્વાભાવિક કે અકૃત્રિમ પણ કહી શકાય. કારણ કે જે કંઈ અવયવવાળું છે તે જ કૃત્રિમ રીતે જન્મે છે અને વિકાર પામે છે. જયારે બ્રહ્મને નથી અવયવ, નથી કૃત્રિમતા, માટે નથી જન્મ કે ન હોઈ શકે વિનાશ. માટે સહજ અને સ્વાભાવિક મૂળ સ્વરૂપે નિરવયવી, નિરાકાર, અદેશ્ય તેમજ પ્રત્યક્ષ અને
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy