________________
૪૦૮
માન્તર્યું = (જેવી રીતે) બ્રાતિ વીં વ = બ્રહ્મ જ છે.
પામેલા અજ્ઞાનીને વૃદ્ધ વ = બ્રહ્મ જ શm: દિ= છીપલી જ સવા - સદા રનતમ્ = ચાંદીરૂપે દેખાય છે. રૂદ્ર તથા = ‘આ’ શબ્દથી
મતઃ = (તેવી રીતે) ભ્રાંતિથી અધ્યતે = નિરૂપણ કરાય છે. વત્ વત્ = જે જે
મારોજિત તુ આરોપિત વસ્તુ તો પ્રતીતમ્ = દેખાય છે બ્રહ્મળિ નામમાત્રમ્ = બ્રહ્મમાં તત્ તત્ = તે તે (બધું)
નામમાત્ર છે. હવે જગતની અસત્યતા પુરવાર કરતી વિચારણાનું સમાપન કરતાં જણાવાયું છે કે જેવી રીતે છીપમાં ભ્રાંતિથી દશ્ય ચાંદી ખરેખર છે જ નહીં, વાસ્તવમાં તો ત્યાં ચાંદી અને છીપ, એમ બે નહીં પરંતુ માત્ર છીપ જ છે તેવી જ રીતે ભ્રાંતપુરુષને ભ્રમણાને લીધે જ જે જે નામ-રૂપાત્મક જગત દેખાય છે, તે વાસ્તવમાં તો છે જ નહીં. હકીકતે તો નામ અને આકાર બધું બ્રહ્મરૂપ જ છે. આમ, અજ્ઞાની કે અવિવેકી નામરૂપમાં બ્રહ્મ જ જુએ છે પણ જાણતો નથી કે હું બ્રહ્મદર્શન કરું છું.” જેમ ચાંદીને જોનારો હકીકતે તો છીપને જ જુએ છે પણ જાણતો નથી કે છીપ જ ચાંદીરૂપે ભાસે છે. આમ, અજ્ઞાની કે ભ્રાંતપુરુષ, ભ્રાંતિ અને ભ્રમણામાં પણ બ્રહ્મદર્શન જ કરે છે. તથા જ્ઞાની તો બ્રહ્મથી અન્ય કંઈ જોતો જ નથી. એવું અભદદર્શન જ શંકરાચાર્યજીને અત્રે અભિપ્રેત છે. માટે જ દર્શાવ્યું છે કે ભ્રાંતપુરુષને અજ્ઞાનમાં બ્રાતિરૂપે જે જે દેખાય છે, તે સર્વ કાંઈ વાસ્તવમાં બ્રહ્મ જ છે. એટલું જ નહીં, પરંતુ રૂમ્રૂ તમ્' તરીકે ‘આ આ' તરીકે જગતના જે નામ અને રૂપ દર્શાવાય છે તે “આ આ' રૂપે પ્રગટ થયેલું સર્વ કાંઈ હકીકતમાં તો બ્રહ્મ જ છે. અર્થાત્ “આ આ’ કે ‘મ્ રૂમ્' એવું સર્વનામ જે નામરૂપને લાગુ પડે છે તે ખરેખર તો બ્રહ્મને જ લાગુ પડે છે. જેમ જે કંઈ ઘડાને લાગુ પડે તે માટીને જ લાગુ પડે છે. કારણકે માટી જેમ ઘડો થઈ તેમ જ અદેશ્ય, અવ્યક્ત બ્રહ્મ, દશ્ય અને વ્યક્ત, નામ અને આકારરૂપે ભાસે છે. તેથી ‘આ’ કે ‘મ્' જેવું સર્વનામ વાસ્તવમાં ભ્રાંતિના નાશમાં કે અજ્ઞાનની