SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૯ નિવૃત્તિમાં બ્રહ્મને જ લાગુ પડે છે. તેથી સુસ્પષ્ટ થાય છે કે બ્રહ્મમાં નામરૂપાત્મક જગતનો આરોપ માત્ર થયેલો છે. નામરૂપાત્મક જગત કલ્પનામાં, અવિવેકમાં, અજ્ઞાનમાં કે અવિદ્યાકાળે જ બ્રહ્મથી જુદું છે. હકીકતે તો જગત અસત નામમાત્ર જ છે. તેવો જ તત્ત્વાર્થ અત્રે અભીષ્ટ છે. प्रशान्तम | (છંદ-ઉપજાતિ) अतः परं ब्रह्म सदद्वितीयं विशुद्धविज्ञानघनं निरञ्जनम् । प्रशान्तमाघन्तविहीनमक्रियं निरन्तरानन्दरसस्वरूपम् ॥२३६॥ મતઃ પર રહ્યું = આથી પરબ્રહ્મ પ્રશાન્તમ્ = અત્યંત શાંત સત્ = સત (અને) ગદ્યન્તવિધીનમ્ = આદિ અને મહિતી મૂક અદ્વિતીય, અંતવગરનું વિશુદ્ધવિજ્ઞાનધનમ્ = શુદ્ધ મયિમ્ = ક્રિયારહિત, (અને) વિજ્ઞાનસ્વરૂપ નિરન્તર-માનન્દ-રસસ્વરૂપમ્ = નિરખ્યનમ્ નિરંજન નિરંતર આનંદરસસ્વરૂપ (છે.) - બ્રહ્મસ્વરૂપ નિરૂપણ જગત અને બ્રહ્મનો કાલ્પનિક ભેદ તથા તાત્ત્વિક અભેદ દર્શાવી જગત સત્ય નથી છતાં બ્રહ્મથી જુદું, સ્વતંત્ર તેનું અસ્તિત્વ હોઈ શકે નહીં, એવા નિષ્કર્ષની ચર્ચા કર્યા બાદ, હવે ચાર શ્લોક દ્વારા બ્રહ્મસ્વરૂપનું નિરૂપણ દર્શાવવામાં આવેલું છે. બ્રહ્મતત્ત્વ તુ મહિતીમ્ પરમ્ છે. પરબ્રહ્મ, તેના જેવું દ્વિતીય કે અન્ય ન હોય તેવું, ઉપમારહિત તથા ત્રિકાલાબાધિત સત છે. આમ, જે વૈતરહિત, એક અને કાળથી પર, દેશથી પર અર્થાત્ દેશમાં જેનો અંત નથી તેવું સર્વદેશીય અને વસ્તુગત ભેદથી અબાધિત તત્ત્વ છે, તેને પરમ્ કહેવામાં આવે છે. માટે પર બ્રહ્મ
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy