SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૭ સત્ય હોય? જ્યાં સુધી ભ્રાંતિ ચાલુ રહે, અજ્ઞાન ટકી રહે કે મિથ્યા કલ્પનાનો બાધ ન થાય ત્યાં સુધી જ જગતની સત્તા કે અસ્તિત્વ બ્રહ્મથી જુદું દેખાય છે. પરંતુ જેમ દોરીનું જ્ઞાન થતાં સર્વની આત્યંતિક નિવૃત્તિ થાય છે, તે જ પ્રમાણે બ્રહ્મરૂપી અધિષ્ઠાનનું જ્ઞાન થતાં ભ્રાંતિથી જન્મેલું જગત કે આરોપિત વિશ્વ ટકી શકતું નથી અને તેનો જ્ઞાનમાં બાધ કે આત્યંતિક અભાવ સર્જાય છે. ઉપર સમજાવાયું કે જગત બ્રહ્મથી જુદું નથી છતાં ભ્રાંતિ કે અજ્ઞાનકાળે જુદા જેવું જણાય છે. ગુણવાન પુરુષથી તેના ગુણ જુદા ન હોવા છતાં અવિવેકીને જુદા જણાય છે. ગુણવાનથી ગુણની જુદાઈ મૃગજળવત મિથ્યા જ છે છતાં અજ્ઞાની તેવી જુદાઈને સત્ય માને છે. વાસ્તવમાં તો મન સ્વપ્નસૃષ્ટિથી જુદું નથી, મન પોતે જ સ્વપ્નસૃષ્ટિ રચે છે અને સ્વપ્નમય બની જાય છે, તેથી સ્વપ્નના પાત્રો કે પદાર્થો મનથી ભિન્ન નથી, તથા ધરતી પોતે જ ભ્રાંતિકાળે મૃગજળ બની જાય છે, તેવી જ રીતે બ્રહ્મ પોતે જ બ્રહ્માંડરૂપે ભાસે છે, જીવરૂપે અનુભવાય છે. તેથી કંઈ જીવ કે જગતની બ્રહ્મથી સ્વતંત્ર કે જુદી સત્તા કે અસ્તિત્વ સાબિત થઈ શકે નહીં. તાત્પર્યમાં, અજ્ઞાનરૂપી ભ્રાંતિ જ જગતને બ્રહ્મથી જુદું પાડી, સત્ય તરીકે જાહેર કરે છે પણ વાસ્તવમાં બ્રહ્મથી જગતની સ્વતંત્ર સત્તા નથી. માટે જગત નથી સત્ય કે બ્રહ્મથી ભિન્ન, પરંતુ ભ્રાંતિજન્ય અને કલ્પનાથી જ જન્મેલું છે. માટે મુમુક્ષુએ જગતને સત્ય માની, ન તો તેમાં આસક્ત થવું કે ન તો જગતના કદી ન છૂટે તેવા બંધનમાં પડવું જોઈએ. (છંદ-ઉપજાતિ) भ्रान्तस्य यद्यद्धमतः प्रतीतं ब्रह्मैव तत्तद्रजतं हि शुक्तिः । इदंतया ब्रह्म सदैव रूप्यते त्वारोपितं ब्रह्मणि नाममात्रम् ॥२३८॥
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy