________________
૨૫
જન્મોના પુણ્યકર્મોથી જેનું અંતઃકરણ શુદ્ધ થયું નથી તેને આવું જ્ઞાન થઈ શકે તેમ નથી, માટે મોક્ષ કે મુક્તિ ખરેખર દુર્લભ છે.
(છંદ-અનુષ્ટ્રપ) दुर्लभं त्रयमेवैतद् देवानुग्रहहेतुकम् ।
मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः ।। ३।। મનુષ્યત્વમ્ = મનુષ્યપણું - તત્ = આમાં મુમુકુતમ્ = મોક્ષની ઇચ્છા
દેવાનુ- = પરમાત્માની મહાપુરુષ-સંશ્રય = મહાપુરુષોનો સમાગમ દેતુ ઇવ કૃપા જ કારણ ત્રય કુર્તમામું (એ) ત્રણ દુર્લભ છે) | ‘ છે.
મનુષ્યજન્મ. મોક્ષની ઇચ્છા અને મહાપુરુષનો સમાગમ; આ ત્રણેનું એક જ વ્યક્તિમાં હોવું અત્યંત દુર્લભ છે. અનેક જન્મોના પુણ્યકર્મોનો પરિપાક થાય ત્યારે ઈશ્વરની કૃપાથી જ, કોઈ ભાગ્યશાળીને આ ત્રણેની પ્રાપ્તિ થાય છે. મનુષ્યજન્મની દુર્લભતાનો પૂર્વે ઘણો વિચાર કરવામાં આવ્યો છે. જેમને મનુષ્યજન્મ પ્રાપ્ત છે, તેમાં પણ બધાને મોક્ષની ઇચ્છા હોતી નથી. જેમને મોક્ષની ઇચ્છા જ નથી તેમને સત્સંગપ્રેમી બનાવવા કઠિન છે અને કદાચ સત્સંગમાં લાવીશું તો પણ તેમનું મુમુક્ષુમાં રૂપાંતરણ કરવું તો અતિ કપરું છે. તેમ છતાં સજજનો અને સાત્ત્વિક સંસ્કારથી સભર સંતો નિમિત્તભાવે તેવો પ્રયત્ન કરવામાં કદી પાછા પડતા નથી. મોક્ષની ઇચ્છા થવામાં પૂર્વજન્મોના સંસ્કાર કારણ છે માટે જેમને પૂર્વજન્મોના સંસ્કાર નથી તેમને મોક્ષની ઇચ્છા થઈ શકતી નથી. જેમનામાં પૂર્વજન્મોના સંસ્કાર સુષુપ્ત હોય છે, તેઓ નાની ઉંમરે, કુમળી વયે પણ મોક્ષમાર્ગે નીકળી પડે છે. તેવા પુણ્યશાળી જીવાત્માઓનાં કાને સત્સંગનો શબ્દ પડતાં જ, તેમના સુપુખ્ત સંસ્કાર જાગૃત થઈ જાય છે અને પરવશ બનાવી તેમને મોક્ષમાર્ગે દોરી જાય છે.
પૂર્વાગ્યાન તેનૈવ દિયતે ધવશોf : I" (ભ.ગી-૬ ૪૪) પૂર્વના અભ્યાસ વડે અવશ બનીને તે મોક્ષ માર્ગ તરફ ખેંચાય છે.” પૂર્વના